________________
રાજનગરનાં જિનાલયો
૧૩૭ સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા. ૧-૨-૩-૪માં આ દેરાસરની વર્ષગાંઠ ફાગણ સુદ ત્રીજ દર્શાવવામાં આવેલી છે. આજે પણ આ દેરાસરની વર્ષગાંઠ ફાગણ સુદ-૩ દર્શાવવામાં આવે છે.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની પાંચ અને ધાતુની સત્તર પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે. ઉપરાંત બે ગુરુમૂર્તિઓનો ઉલ્લેખ પણ થયેલો છે.
આજે બિરાજમાન અજિતનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાજીની ઊંચાઈ તેર ઇંચ છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૨૦૩૨માં થયો હતો. જીર્ણોદ્ધારનો ખર્ચ રૂા. ૫૧,૦૦૦/૦૦ આશરે થયો હતો. દેરાસરમાં કોતરણી ઉત્તમ કક્ષાની છે અને ઘુમ્મટમાં ચિત્રકામ થયેલું છે.
સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસર ૫00 વર્ષ જૂનું દર્શાવવામાં આવે છે. જો કે સં. ૧૯૧૨ પહેલાં આ દેરાસરનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. દેરાસરની સ્થાપનાનો સમય સં. ૧૯૧૨ પહેલાંનો નક્કી કરી શકાય છે.
- સં. ૧૯૬૨માં કાળુશીની પોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે : સંભવનાથ, મહાવીર સ્વામી અને ચિંતામણિ પાર્શ્વનાથ – તે પૈકીનું મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર અને આજે વિદ્યમાન અજિતનાથ ભગવાનનું દેરાસર. જો બંને દેરાસરો એક જ હોય તો આ દેરાસરનો સમય સં૧૬૬૨ પહેલાંનો નક્કી કરી શકાય. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
કાળુશીની પોળ - વિજય ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૫૪) કાળુશીની પોળમાં આવેલું વિજય ચિંતામણિ પાર્શ્વનાથનું આ દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસર ત્યાંજ આવેલા સંભવનાથનાં જિનાલયની સાથે ભોંયરા દ્વારા સંકળાયેલું છે. આ દેરાસર અને સંભવનાથનું દેરાસર-એ બંને વચ્ચે રસ્તો આવે છે. એટલે કે ઉપર રસ્તો અને નીચે બે દેરાસરોને જોડતું ભોંયરું-આ પ્રકારની રચના રાજનગરનાં અન્ય કોઈ દેરાસરમાં જોવા મળતી નથી.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં “કાલ સંઘવીની પોળ”માં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથ અને અજિતનાથ-એટલે કે વિજય ચિંતામણિપાર્શ્વનાથનું આ દેરાસર સં. ૧૯૧૨ પછીનું હોવાનું સંભવ છે. સંભવનાથના દેરાસરમાં આવેલાં લેખ પ્રમાણે આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૫૪માં થઈ હતી.
મૂળનાયક શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા પ્રાચીન છે. પ્રતિમાજી સુંદર
રા-૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org