________________
રાજનગરનાં જિનાલયો
૧૩૩
ઉપર જણાવ્યા મુજબ સં૧૬૬૨માં આમાંના કેટલાક મૂળનાયક ભગવાનનો ઉલ્લેખ થયેલો છે. શાહ સોમજીના નામ સાથે જોડાયેલ શાંતિનાથ ભગવાન ચૌમુખજી, શ્રી ધીર તથા પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ થયેલો છે. તેથી હાંલ્લા પોળના આ દેરાસરનો ઘણી વાર જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. પરંતુ, સં. ૧૮૨૧માં ધનાસુથારની પોળમાં દર્શાવાયેલાં બે દેરાસરો પૈકીમાંનું એક દેરાસર હાંલ્લાપોળનું આ દેરાસર હોવાનો સંભવ છે.
સં. ૧૯૧૨માં ધનાસુથારની પોળમાં આદીશ્વર, પાર્શ્વનાથ તથા કુંથુનાથ – એમ ત્રણ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“ધનાસુથારની પોલ પ્રકાસ ત્રણ દેહરા દીઠા ઉલ્લાસ શ્રી આદિસ્વર દીન દયાલ દીઠા પારસ પાપ પખાલ
કુંથુનાથ વંદો નરનાર....................” સં. ૧૯૧૨માં ધનાસુથારની પોળમાં શાંતિનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયો નથી. પરંતુ આદીશ્વરજીનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે આજે વિદ્યમાન શાંતિનાથનું દેરાસર કે જેનાં ભોંયરામાં આદીશ્વર ભગવાન છે. તે સંદર્ભમાં જ આદીશ્વરજીના દેરાસરનો ઉલ્લેખ થયો હશે અથવા તો શરતચૂકથી શાંતિનાથજીના દેરાસરનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હશે. ઉપરાંત, પાર્શ્વનાથજીનું દેરાસર એક સ્વતંત્ર દેરાસર તરીકે દર્શાવવામાં આવ્યું છે. આજે હાંલ્લાપોળમાં આવેલા દેરાસરમાં મૂળનાયક કુંથુનાથજીની સાથે મૂળનાયક પાર્શ્વનાથજીનું પણ ગર્ભગૃહ છે. એટલે કે સં. ૧૯૧૨માં દર્શાવેલા પાર્શ્વનાથ તથા કુંથુનાથ ભગવાનનાં દેરાસરો આજે સંયુક્ત જિનાલયરૂપે હાંલ્લાપોળમાં અસ્તિત્વમાં આવ્યાં હશે. ઉપરાંત, અહીં દેરાસરમાં ગૌતમ સ્વામીની મૂર્તિ પણ વિદ્યમાન છે, જેનો સ્પષ્ટ ઉલ્લેખ સં. ૧૬૬૨ની ચૈત્ય પરિપાટીમાં થયેલો છે.
આ ઉપરાંત, ધનાસુથારની પોળમાં લાવરીની પોળમાં વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર છે. મેડા ઉપરનું આ દેરાસર અગાઉ લાકડાનું ઘર દેરાસર હતું.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ થયો છે. આ દેરાસર બંધાવનાર શેઠ ગોકળદાસ લલ્લુભાઈ હતા તેવો પણ ઉલ્લેખ મળે છે.'
તે ઉપરાંત, શ્રી મહાવીર સ્વામી ભગવાનનું એક દેરાસર છે, જેની બાંધણી ઘર દહેરાસરના સ્વરૂપની છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં થયેલો છે. આ દેરાસર બંધાવનાર તરીકે શેઠ વાડીલાલ તારાચંદના નામનો ઉલ્લેખ થયો છે. અને મૂળનાયકના લેખનો સં. ૧૬૮૨ દર્શાવવામાં આવ્યો છે. સંભવ છે કે નગરશેઠ શાંતિદાસે સરસપુરમાં બંધાવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં અંજનશલાકા થયેલ પ્રતિમાઓ પૈકીમાંની આ પ્રતિમા હોય. સં૧૯૬૩માં જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સની ડિરેકટરીમાં વાસુપૂજ્યજીના દેરાસરનો ધાબાબંધી દેરાસર તરીકે ઉલ્લેખ થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને આ દેરાસરને ૧૦૦ વર્ષ જૂનું દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસરની સ્થાપનાનો સમય નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂરી છે.
oo
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org