________________
૧૩૨
રાજનગરનાં જિનાલયો આજે વિદ્યમાન હાંલ્લાપોળનો સમાવેશ ધનાસુથારની પોળમાં જ થતો હતો. જ્યારે રિલીફરોડ બન્યો ત્યારે આ બંને વિસ્તાર રોડની સામસામેની બાજુએ આવી ગયા, જેથી હાંલ્લાપોળ રોડની એક બાજુએ અને ધનાસુથારની પોળ રોડની બીજી બાજુએ અસ્તિત્વમાં આવ્યા. તેથી હાંલ્લાપોળ એક અલગ અસ્તિત્વ ધરાવતી પોળ તરીકે પ્રચલિત બની. પરંતુ, ઉપર જણાવેલી પંક્તિઓમાં હાંલ્લાપોળનાં દેરાસરોનો ઉલ્લેખ ધનાસુથારની પોળમાં જ થયેલો છે.
આજે ધનાસુથારની પોળના નામે પ્રચલિત વિસ્તારમાં શ્રી સદા સોમજીનું ઘુમ્મટબંધી દેરાસર છે, જે ઘણું પ્રાચીન છે. આ દેરાસરમાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથ તથા ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી આદિનાથ બિરાજમાન છે. બંને મૂળનાયકની પ્રતિમા ઉપર સં૧૬પ૩નો લેખ છે.
સં. ૧૬૫૩માં તે સમયના પ્રસિદ્ધ શ્રેષ્ઠી સોમજી અને તેના ભાઈ શિવાએ આ દેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી. આ અંગેનો લેખ દેરાસરમાં ઉપલબ્ધ છે.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો બે અલગ-અલગ દેરાસર તરીકે ઉલ્લેખ થયો છે. શાંતિનાથ અને આદિનાથ. તે સમયે શાંતિનાથના દેરાસરમાં એક ગુરુમૂર્તિ તથા એક શેઠની મૂર્તિમાં પણ ઉલ્લેખ થયેલો છે. તથા તે સમયે લાકડાનું કામ સારું છે તેવા ઉલ્લેખો પણ થયેલા છે. સં. ૨૦૩૭માં તેનો છેલ્લો જીર્ણોદ્ધાર થયેલો છે. તે અગાઉ પણ જીર્ણોદ્ધાર થયા હોવાનો સંભવ છે. જ્યારે આદિનાથજીના દેરાસરમાં શેઠની એક આરસની મૂર્તિ, એક આરસની ગુરુમૂર્તિ તથા એક ધાતુની ગુરુમૂર્તિ હોવાનો પણ ઉલ્લેખ મળે છે.
શેઠ સદા સોમજીએ અમદાવાદમાં ત્રણ દેરાસરો બંધાવ્યાં હતાં. ૧. ધનાસુથારની પોળનું આ દેરાસર ૨. મનસુખભાઈની પોળનું નમિનાથનું દેરાસર ૩. શામળાની પોળનું શામળા પાર્શ્વનાથનું દેરાસર.
શેઠ શ્રી સદા સોમજી અંગેની વિગતવાર નોંધ આ ગ્રંથમાં “રાજનગરનાં જૈન શ્રેષ્ઠીઓ” નામના પ્રકરણમાં આપવામાં આવેલી છે.
સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં ધનાસુથારની પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
“રાજા મહેતા કાલ સંઘવી તણી ધનાસુતારની પોલ
દેવલ દોદો નીરખઈ કુણ કરે તસ હોડ !” હાંલ્લા પોળના દેરાસરમાં આજે ચાર મૂળનાયક ભગવાન વિદ્યમાન છે, જેમાં ભોંયતળિયે શ્રી શાંતિનાથ, પાર્શ્વનાથ તથા કુંથુનાથ ઉપરાંત રંગમંડપમાં આરસના ચૌમુખજી છે, અને ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી આદેશ્વર ભગવાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org