________________
રાજનગરનાં જિનાલયો
“હાજા પટિલ પોલિ આવી વાંદીઈ ચંદ્રપ્રભુ પછઈ
ઉલ્ડસઈ સામલ પાસ દેહરઈ ચ્યુઆલીસ મૂતિ ખરી.”
ઉપરાંત, સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળમાં કુલ સાત દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી લાંબેશ્વરની પોળનું આજે વિદ્યમાન શામળા પાર્શ્વનાથનું દેરાસર હોવાનો સંભવ છે.
ટૂંકમાં, શામળા પાર્શ્વનાથજીનું દેરાસર સં ૧૬૬૨ પહેલાં, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૯૨૦ આસપાસ, શ્રી સહસ્રફણા પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૮૫૪માં બંધાયું હોવાનું જણાય છે.
Jain Education International
હાંલ્લાપોળ તથા ધનાસુથારની પોળનાં દેરાસરો
(સં. ૧૯૬૨ પહેલાં)
સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં ધનાસુથારની પોળનાં દેરાસરો અંગે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયેલો છે.
“પાટ(ક) ધના સુતારનઈ પહિલું દેહરા એ માંહિ ચ્યારસઈ ત્રેવિસે આગલી મનોહર પડિમાએ ત્યાહ ||
૧૩૧
કુંથપ્રાસાદિ જિન તણી પ્રતિમા વારુ અઢાર અચિરાનંદન દેહરઈ એકસુ દોઈ જિન સાર રે॥
ભુંઅરઈ પ્રતિમા સાત છઈ વાંદુ ચૌદશુ શાંતિ રે આદિ જન ભુંઅરઈ નાયક બાવીસ બિંબ એકાંતિ ॥ સાહ સોમજીનઈ ચુમુખિ સોળમા જિનવર મુક્ષ રે છ પ્રતિમા છઈ હેઠલિ, ઉપર શ્રીધીર દક્ષ રે મુહરતિ ચ્યાર સોહામણી હવઈ નમો પાર્શ્વનાથ ત્રઈસઠિ પ્રતિમા છઈ વલી શવપુર કેરુ એ સાથ II”
For Personal & Private Use Only
www.jainelibrary.org