________________
૧૩૦
રાજનગરનાં જિનાલયો પરંતુ, સં૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં લાંબેશ્વરની પોળમાં માત્ર બે દેરાસરોનો ઉલ્લેખ થયો છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ તથા શામળા પાર્શ્વનાથ. જે નીચેની પંક્તિઓમાં થયેલો છે.
કૂવે ખારે રે પહેલે સંભવ જિન તપે લાંબેસ્વર રે બે જિન યોગીસ્વર જપે જપે યોગી સહસ્ત્રફણાના સાવલા સુહામણા નામ સમરો ભાવિક ભાવે પાસ પ્રભુ રળિયામણા.”
એટલે કે સં. ૧૯૧૨માં ચિંતામણિજીના આ દેરાસરનો ઉલ્લેખ થયો નથી. તે સંજોગોમાં એ દેરાસરનો સમય સં. ૧૯૨૦ દર્શાવવામાં આવ્યો છે તે ઉલ્લેખને પુષ્ટિ મળે છે. પરંતુ, દેરાસર જીર્ણસ્થિતિવાળું દર્શાવ્યું છે તેમાં વિગતદોષ હોવાનો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
જ્યારે સહસ્રફણા પાર્શ્વનાથજીના દેરાસરનો ઉલ્લેખ કરતી વખતે દેરાસર બંધાવનાર તરીકે ડિરેક્ટરીમાં લક્ષ્મીચંદ ધરમચંદ નામનો ઉલ્લેખ થયેલો છે અને દેરાસર બંધાવ્યાની સાલા સં. ૧૮૫૪ દર્શાવવામાં આવી છે. તે સમયે આ ધાબાબંધી દેરાસર જીર્ણ અવસ્થામાં હતું.
વળી, સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૮૫૪માં બંધાયું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ “જૈન રાસમાળા' ગ્રંથમાં પૃ. ૬૧-૬૨ ઉપર પ્રાપ્ત થાય છે.
શ્રી પદ્મવિજયજીએ સં. ૧૮૫૩માં રાજનગરમાં ચોમાસુ કર્યું.....અહીં શ્રીમાળી જ્ઞાતિનાં લક્ષ્મીચંદ શેઠે સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા ગુરુ પાસે સં. ૧૮૫૪ના મહા વદપને સોમવાર દિને શુભ મુહૂર્ત કરાવી, અને તેમાં ૪૭૨ જિનમૂર્તિઓ અને ૪૯ સિદ્ધચક્રની પ્રતિષ્ઠા કરી.”
હાલ આ દેરાસરમાં ગૌતમસ્વામીની ચાર મૂર્તિઓ વિદ્યમાન છે. દેરાસરમાં લાકડાની સુંદર કોતરણી છે. તેમાં નેમિનાથ ભગવાનના લગ્નની જાનનું દશ્ય સુંદર રીતે ઉપસાવવામાં આવ્યું છે. આજે પણ દેરાસરમાં પ્રવેશતાં પહેલાં ખુલ્લો, મોટો ચોક આવે છે, જે ચોક તેનો મુખ્ય દરવાજેથી ચારેબાજુથી સુરક્ષિત છે અને ચોકના મુખ્ય દરવાજાથી દેરાસરનાં મુખ્ય દ્વાર સુધી ખૂબ જ વ્યવસ્થિત દેરાસરની માલિકીનાં નાનાં-નાનાં મકાનો છે. જેનો મોટે ભાગે લોકો રહેઠાણનો ઉપયોગ કરે છે. અને ત્યારબાદ દેરાસરમાં પ્રવેશ થાય છે. દેરાસરનો આ સમગ્ર વિસ્તાર વધારે પ્રાચીન સમયનો નિર્દેશ કરે છે.
લાંબેશ્વરની પોળનું નામકરણ ઘણા સમય પછી થયું હોવાનો સંભવ છે. અગાઉ આ વિસ્તારનો સમાવેશ હાજા પટેલની પોળના વિસ્તારમાં જ થતો હતો. હાજા પટેલની પોળમાં ઘણી નાની મોટી પોળોનો સમાવેશ થયેલો જણાય છે. સં. ૧૯૬૨ની ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળમાં હાજા પટેલની પોળનાં જે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે તે પૈકી શામળા પાર્શ્વનાથનાં દેરાસરનો પણ ઉલ્લેખ થયો છે. હાજા પટેલની પોળમાં આજે શામળા પાર્શ્વનાથનું કોઈ દેરાસર નથી. એટલે કે લાંબેશ્વરની પોળના શામળાપાર્શ્વનાથના દેરાસર માટે જ આ ઉલ્લેખ ચૈત્ય પરિપાટીની નીચેની પંકિતઓમાં થયેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org