SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૨૯ દેરાસરના વહીવટદાર તરીકે શેઠ મણિલાલ લલ્લુભાઈ તેલીનો ઉલ્લેખ થયો છે. દેરાસરમાં આવેલા ગોખ સં. ૧૯૫૫માં તૈયાર થયાની નોંધ છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં૧૯૯૧માં થયાની માહિતી સ્થાનિક લોકો પાસેથી મળે છે. જીર્ણોદ્ધાર કરાવનાર તરીકે શ્રી સારાભાઈ મગનલાલ મોદીના નામનો ઉલ્લેખ મળે છે. સંભવનાથ ભગવાનની પ્રતિમા પદ્માસનસ્થ છે. એની ઊંચાઈ ૩૫ ઇંચની છે. લાંબેશ્વરની પોળનાં દેરાસરો (સં૧૬૬૨ પહેલાં, સં. ૧૮૫૪, સં. ૧૯૨૦ આસપાસ) લાંબેશ્વરની પોળમાં દેરાસરમાં શામળા પાર્શ્વનાથજી, સહસ્ત્રફણા પાનાથજી, ચિંતામણિ પાર્શ્વનાથજી તથા પદ્મપ્રભુ એમ કુલ ચાર ગભારામાં ચાર મૂળનાયકો બિરાજમાન છે. અગાઉ આ દેરાસરોના સમૂહને ત્રણ અલગ-અલગ જિનાલયો તરીકે ઓળખવામાં આવતાં હતાં. સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસર “વિમલ ગચ્છનું દેરાસર' કહેવાતું હતું. અને દેરાસરમાં જે ગુરુમૂર્તિ છે તે વિમલગચ્છના આચાર્ય ભગવંતની હોવાનું મનાય છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં શામળા પાર્શ્વનાથજીના દેરાસરને ઘુમ્મટબંધ દેરાસર તરીકે દર્શાવવામાં આવ્યું હતું, જેમાં તે સમયે એક ગુરુમૂર્તિનો પણ ઉલ્લેખ થયેલો છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથજીના દેરાસરને ઘર દેરાસરની બાંધણીના પ્રકારનું અને મૂળનાયકનો લેખ સં. ૧૮૦૪નો દર્શાવવામાં આવ્યો છે. જો કે સં૧૮૦૪ના બદલે સં૧૮૫૪ હોવો જોઈએ. ઉપરાંત, આ દેરાસરમાં પદ્મપ્રભુના ગભારામાં લાકડાનું સુંદર કોતરકામ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર પણ ઘર દેરાસરની બાંધણીના પ્રકારનું દર્શાવવામાં આવ્યું છે, અને તેમાં મૂળનાયકનો લેખ સં. ૧૬૬૩ દર્શાવવામાં આવ્યો છે. સં૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં શામળા પાર્શ્વનાથજીનું દેરાસર તે સમયે ત્રણસો વર્ષ જૂનું દર્શાવવામાં આવ્યું હતું. એટલે કે તે મત અનુસાર શામળા પાર્શ્વનાથજીનું દેરાસર આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. ઉપરાંત, ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની બંધાયાની સાલ આ ડિરેક્ટરીમાં સં. ૧૯૨૦ દર્શાવવામાં આવી છે. અને તે સમયે દેરાસર ખૂબ જ જીર્ણ અવસ્થામાં હોવાનું જણાવાયું છે. સં. ૧૯૨૦ના ઉલ્લેખમાં ક્યાંક વિગતદોષ હોવાનો વિશેષ સંભવ છે. કારણ કે ત્યારબાદ સં. ૧૯૬૨માં એટલે કે માત્ર ૪૨ વર્ષ પછી જ એ દેરાસર જીર્ણ અવસ્થાવાળું બન્યું હોવાનું માની શકાતું નથી. સે રા-૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy