________________
૧૨૬
રાજનગરનાં જિનાલયો સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ બંને દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો હતો. મહાવીર સ્વામીના દેરાસરમાં વહીવટદાર તરીકે શેઠ જમનાભાઈ ભગુભાઈના નામનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે દેરાસરમાં શેઠ-શેઠાણીની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. જ્યારે સુપાર્શ્વનાથના દેરાસરના વહીવટદારનું નામ શેઠ માણેકચંદ વાડીલાલ દર્શાવવામાં આવ્યું છે. અને તે સમયે આ દેરાસરમાં સ્ફટિકની એક મૂર્તિ હોવાનો અને લાકડાનું સુંદર કોતરકામ હોવાનો ઉલ્લેખ છે.
પાછિયાની પોળના દેરાસરો
(સં. ૧૯૧૨ પહેલાં) રિલીફરોડ ઉપર આવેલી પાછિયાની પોળનું દેરાસર આજે ઘુમ્મટબંધી છે. ચાર દેરાસરોનું સંયુક્ત જિનાલય છે : ૧. આદિનાથ ૨. અજિતનાથ ૩. વાસુપૂજ્ય ૪. ધર્મનાથ ભગવાન. સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસર ૪૦૦ વર્ષ જૂનું દર્શાવવામાં આવે છે.
સં. ૨૦૦૯માં પ્રકટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરો પૈકી આદિનાથજી અને અજિતનાથજીને ઘુમ્મટબંધ દર્શાવ્યાં છે. ધર્મનાથજી અને વાસુપૂજ્યજીને ધાબાબંધ દર્શાવ્યાં છે. ધર્મનાથજીના દેરાસરમાં શેઠ-શેઠાણીની મૂર્તિ હોવાનો ઉલ્લેખ પણ તે ગ્રંથમાં મળે છે. આ ચારેય દેરાસરો એક જ કમ્પાઉન્ડમાં છે.
સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં વાસુપૂજ્યના દેરાસરનો ઉલ્લેખ નથી. ધર્મનાથજીના દેરાસરના બંધાવનાર તરીકે મંછારામભાઈ ગોકળદાસનો ઉલ્લેખ છે. તથા શ્રી અજિતનાથ અને આદીશ્વરજીના દેરાસરના બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ છે. એટલે કે શ્રી અજિતનાથજી અને શ્રી આદીશ્વરજી દેરાસર વધારે પ્રાચીન હોવાનો સંભવ છે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં પાછિયાની પોળમાં ઋષભનાથ અને ધર્મનાથએમ બે દેરાસરોનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયેલો છે.
“પીપરડીની પોલમાંથી સુમતિ જિન શોભા ઘણી પાસાની પોલે ઋષભ દિવાકરુ દૂજા જિનવર રે ધર્મ અનંત ગુણા
કૂવે ખારે રે પહેલે સંભવ જિન તપે લાંબેસ્વર રે બે જિન યોગીસ્વર જપે.” પ્રથમ દષ્ટિએ આદીશ્વર ભગવાન અને ધર્મનાથનાં દેરાસરોનો સમય સં. ૧૯૧૨ પહેલાંનો લાગે છે, જ્યારે વાસુપૂજ્યના દેરાસરનો સમય સં. ૧૯૬૨ પછીનો નક્કી થઈ શકે છે. પરંતુ, અજિતનાથના દેરાસરનો સમય નક્કી થઈ શકતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org