________________
૧૨૪
દેરાસરનો ધર્મનાથના દેરાસર તરીકે ઉલ્લેખ કર્યો છે. એ ઉલ્લેખ નીચે મુજબ છે
“ટંકશાળની પોળમાં શેઠાણી હરકુંવરે ધર્મનાથનું મંદિર રૂા. ૨૦,૦૦૦/૦૦ ખર્ચીને બંધાવેલું છે.”
સં. ૧૯૬૨માં (ઈ. સ. ૧૯૦૬માં) “શ્વેતાંબર જૈન કૉન્ફરન્સ”ના ઉપક્રમે જૈન દેરાસરોની એક ડિરેક્ટરી પ્રસિદ્ધ થઈ હતી, જેમાં આ દેરાસરનો ઉલ્લેખ ધર્મનાથજીના દેરાસર તરીકે થયેલો છે.
“જૈન પરંપરાનો ઇતિહાસ” ભા-૩ પૃ॰ ૨૦૬ ઉપર ત્રિપુટી મહારાજ આ દેરાસર અંગે નીચે મુજબનો ઉલ્લેખ કરે છે.
રાજનગરનાં જિનાલયો
“ઉમાભાઈએ ટંકશાળમાં જમીન માંગી, સરકારે તેને જમીન આપી. સં. ૧૯૧૫ વૈ સુ ૭ને રોજ ત્યાં મોટા જિનાલયનો પાયો નાંખ્યો. ગભારો, રંગમંડપ, પાંચ શિખરવાળો જિનપ્રાસાદ બનાવી, ભ૰ શ્રેયાંસનાથની પ્રતિમાને ફતાસાની પોળમાંથી લાવી તે જિનાલયમાં પધરાવી.’
રામજી મંદિરની પોળનાં દેરાસરો
મહાવીર સ્વામી (સં. ૧૯૧૨ પહેલાં)
સુપાર્શ્વનાથ (સં. ૧૬૬૨ પહેલાં)
હાજા પટેલની પોળમાં આવેલી રામજી મંદિરની પોળમાં મહાવીર સ્વામી તથા સુપાર્શ્વનાથ એમ બે દેરાસરો આવેલાં છે. બંને દેરાસરો ઘુમ્મટબંધી છે. આજે આ બંને દેરાસરો સંયુક્ત રીતે જોડાઈ ગયાં છે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ બંને દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
“નામ પોલનું રામમંદિર માહાવીર મહિમા નિધિ એહ પોલે ભાવિક નિરખો શ્રી સુપારસ દિનમણિ પીપરડીની પોલમાંહી સુમતિ જિન શોભા ઘણી ।''
Jain Education International
સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ બંને દેરાસરો ધાબાબંધી દેરાસર તરીકે દર્શાવવામાં આવ્યાં છે. સુપાર્શ્વનાથજીના દેરાસર સાથે હેમાભાઈ શેઠનું નામ દર્શાવવામાં આવ્યું છે. તથા મહાવીર સ્વામીનું દેરાસર બંધાવનારનું નામ શેઠ ભગુભાઈ પ્રેમચંદ દર્શાવવામાં આવ્યું છે.
સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org