________________
રાજનગરનાં જિનાલયો
૧૨૩
સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે અને બંધાવનારનું નામ શા૰ કરમચંદ અનોપચંદ છાપીયા (પાછિયા ?)નું નામ દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, તે સમયે આ દેરાસરમાં પગલાંની આઠ જોડ વિદ્યમાન હતી.
સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ હાજાપટેલની પોળનાં દેરાસરોમાં થયેલો છે.
“હાજા પટેલની પોળમાં દેહરાં ઝાર્યાં સાત
ટીમલા-ધંજી પંચાણની એક એક વિખ્યાત ।।”
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ હાજાપટેલની પોળનાં દેરાસરો સાથે નીચે મુજબની પંક્તિઓમાં થાય છે.
“પટેલ હાજા રે ગાજે નવ શાસન પતિ પોલ મંદિર શાંતિનાથ સુભ મતિ સુભમતિ સેલો ચંદ્ર શાંતિ જે ભણી ગ્રંથે વિધિ |’
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસરનો ઉલ્લેખ ઘર દેરાસરની બાંધણીના પ્રકાર તરીકે થયેલો છે. તે સમયે વહીવટદાર તરીકે શેઠ મયાભાઈ સાંકળચંદનું નામ દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, ભોંયરામાંની પ્રતિમાઓનો પણ ઉલ્લેખ થયેલો છે.
શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા ૨૩ ઇંચની છે, જ્યારે ભોંયરામાં શ્રી સીમંધર સ્વામીની પ્રતિમા ૩૧ ઇંચની છે. આ દેરાસરનું ભોંયરું જીર્ણ થઈ ગયેલું છે અને તેનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે.
ટંકશાળ
શ્રેયાંસનાથ (સં. ૧૯૧૫)
કાલુપુર ટંકશાળમાં આવેલું શ્રેયાંસનાથનું દેરાસર સં. ૧૯૧૫માં હરકુંવર શેઠાણીએ તૈયાર કરાવ્યું હતું. તેમાં શ્રેયાંસનાથની પ્રતિષ્ઠા શ્રાવણ સુદ સાતમના દિવસે થઈ હતી.
જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસરજીનો ઉલ્લેખ ધર્મનાથજીના દેરાસર તરીકે થયેલો છે. મૂળનાયકનો લેખ સં. ૧૯૦૩ છે. દિલ્લી દરવાજા બહાર હઠીસિંહના દેરાસરમાં સં. ૧૯૦૩માં પ્રતિષ્ઠા સમયે બીજી ઘણી પ્રતિમાઓની અંજનશલાકા વિધિ થઈ હતી. અંજનશલાકા થયેલી તેવી પ્રતિમાઓ અમદાવાદનાં કેટલાંક દેરાસરોમાં બિરાજમાન છે. સંભવ છે કે આ પ્રતિમા પણ તે પૈકીમાંની એક હોય.
“ગુજરાતનું પાટનગર અમદાવાદ” ગ્રંથમાં પૃ॰ ૬૬૬ ૫૨ રત્નમણિરાવ જોટેએ પણ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org