SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૨૧ તેની કોતરણીમાં વપરાયેલા વિવિધ પ્રતીકો-શ્રાવકો, દિક્યાલો, દિક્લાલિકા, દેવીઓ, હાથી, ઘોડા જેવાં પ્રાણીઓ ફૂલ-વેલ, ગ્રાસ આદિ-પથ્થરનાં શિલ્પોની પરંપરા સાચવતા સુરેખરૂપો છે.....આ કાષ્ટનાં શિલ્પોનું વૈવિધ્ય, તેની કારીગરીની કક્ષા કોઈપણ સંવેદનશીલ જોનારને આશ્ચર્ય પમાડે એવાં છે..... - આ રૂપ-રચનાની સાથે ગ્રાસ-મંદારકવાળો ઉદુમ્બર સુશોભિત નવશાખ બારશાખ અને તેનો ઓતરંગ તથા પ્રહાર સપ્રમાણ રચના છે. તેની સાથેની કાષ્ટની જાળી સુરેખ કંડારેલી છે.........શાંતિનાથ દેરાસરની આ રચના તથા સચવાયેલા ગુંબજના ભાગો ૧૬મી સદીના અંતની અને ૧૭મી સદીના પ્રારંભની કલાના નમૂનાઓ છે. શાંતિનાથજીના દેરાસરની ઐતિહાસિકતામાં વધારે કરતી એક તીર્થંકરની પ્રતિમા સં૧૬૮૨ના જ્યેષ્ઠ વદી નોમને ગુરુવારે અમદાવાદમાં વિજયદેવસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત પ્રતિમા છે. આ પ્રતિમા સં૧૭૦૦ (ઈ. સ. ૧૬૪૪)માં શાહજહાના રાજ્યમાં ઔરંગઝેબે ભ્રષ્ટ કરાવેલા દેરાસરમાંથી શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બચાવેલી પ્રતિમાઓ પૈકીની છે. સરસપુરના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની આ વાત જાણીતી છે.........તેમણે ઘણી પ્રતિમાઓ બચાવીને ઝવેરીવાડ તથા હાજા પટેલની પોળનાં દેરાસરોમાં સાચવી છે. તથા શત્રુંજય સુધી તે મોકલી છે. આ પ્રવૃત્તિમાં શાંતિનાથની પોળના દેરાસરે પણ પોતાનો ફાળો આપ્યો છે. અમદાવાદમાં સં. ૧૯૦૩માં શેઠ શ્રી હઠીસિંહની વાડી મધ્યે ધર્મનાથનાં બાવન જિનાલયોમાં અંજનશલાકા થઈ હતી. તે વખતે અંજનશલાકા થયેલી પ્રતિમા પણ શાંતિનાથના આ દેરાસરમાં છે. આમ, સમગ્ર દષ્ટિએ વિચાર કરતાં પાદશાહ અકબરના રાજ્યકાળમાં તેની નીતિ, તેની ધાર્મિક વિચારણામાં તપગચ્છ અને ખરતરગચ્છના પૂ. શ્રી વિજયહીરસૂરિજી અને પૂ. જિનચંદ્રસૂરિએ લીધેલા ભાગની અસરો શાંતિનાથજી વિધિચૈત્યમાં દષ્ટિગોચર થાય છે અને ત્યારથી છેલ્લાં ચારસો વર્ષના જૈન શાસનના ઇતિહાસમાં તથા ભારતીય ઇતિહાસની વિવિધ પરિસ્થિતિની અસરો દર્શાવતું શાંતિનાથનું દેરાસર અમદાવાદની સાંસ્કૃતિક પરંપરાની સ્થાનિક તથા અખિલ ભારતીય સંસ્કારો સાચવતું મહત્ત્વનું સ્થાન છે.” સં. ૨૦૨૨ પછી શાંતિનાથ પ્રભુના દેરાસરનો જીર્ણોદ્ધાર કરવાનો પોળના સંઘે નિર્ણય કર્યો. સંઘના પુણ્યોદયના કારણે અનાયાસે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું માર્ગદર્શન મળ્યું. શેઠશ્રી તરફથી પ્રેરણા મળી કે સુંદર કારીગરી સાચવવી જોઈએ. શ્રી સંઘે નિર્ધાર કર્યો કે શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈના માર્ગદર્શન મુજબ જ શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યનો જીર્ણોદ્ધાર કરવો. શેઠશ્રીએ સંઘની વિનંતી સહર્ષ સ્વીકારી. ઘુમ્મટ ઉતારવામાં આવ્યો. કાષ્ઠકળાના કારીગરોને રોકવામાં આવ્યા. બે વર્ષના ટૂંકા ગાળામાં શાંતિનાથ પ્રભુનું ચૈત્ય નવા સ્વરૂપે બહાર આવ્યું. લાકડાની કારીગરી પર ચઢેલા રંગનાં પોપડાં ઉખાડવામાં આવ્યાં. પૂતળીઓ સાફ કરવામાં આવી. પાટડા નવા સ્વરૂપે પૉલિશ કરી અસલ લાકડાના રંગે શોભવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy