SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૧૯ દોશીવાડાની પોળ સીમંધર સ્વામી (સં. ૧૯૯૨ પહેલાં). સીમંધર સ્વામીના દેરાસરનો ઉલ્લેખ શ્રી લલિતસાગર મહારાજ સાહેબની ચૈત્ય પરિપાટીમાં સં. ૧૬૬૨માં પણ મળે છે. સં. ૧૯૬૨માં દોશીવાડામાં આદિનાથ, અજિતનાથ, સુમતિનાથ તથા સીમંધર સ્વામીના દેરાસરનો ઉલ્લેખ મળે છે. “દોસીવાડઈ આદિ જિનવર અઠ્ઠાવીસ મૂરતિ ખરી અજિત જિન પ્રાસાદ સીત્યરી સુમતિ દહેરઈ વીસ કરી. મંદિર સામીય જિન શર નામીય આરસઈ અડસઠ જાણીઈ એ રયણ એક પડિમા ધ્યાઈઈ નિત મનમાં મુંબઈ સાત બિંબ આણીસે.” શ્રી સીમંધર સ્વામીનું આ ભવ્ય દેરાસર અતિ પ્રાચીન છે. દેરાસર ગુંબજબંધી અને બે માળવાળું છે. ડાબી બાજુના ગભારે પંચધાતુની ખૂબ જ આકર્ષક તથા ચળકાટવાળી સુખસાગર પાર્શ્વનાથની કાઉસ્સગ્ગ મુદ્રાવાળી સુંદર પ્રતિમા છે. જમણી બાજુના ગભારે, આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર-ત્રણેય ચોવીસીના ત્રણ તીર્થકરોનો સુંદર સંગમ છે. ઉપરના ભાગે આદેશ્વર ભગવાનું દેરાસર છે. “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં પંડિત અંબાલાલ પ્રેમચંદે આ દેરાસરમાંના ભોંયરામાંની કેટલીક પ્રાચીન પ્રતિમાઓ વિશે ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત, અન્ય કેટલીક પ્રતિમાઓ વિશે પણ વિગતવાર નોંધ લખી છે, જે આ પ્રમાણે છે– દોશીવાડાની પોળમાં ગોસાઈજીની પોળમાં શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ભોંયરામાં કેટલીક પ્રાચીન પ્રતિમાઓ સંઘરી રાખવામાં આવી છે. કેટલીક મૂર્તિઓ ખંડિત છે. પરંતુ કેટલીક પ્રતિમાઓ જેવી પ્રાચીન છે તેવી જ મૂર્તિ સ્થાપત્યકળાની દૃષ્ટિએ બેનમૂન છે. ૧. એક ધાતુ પ્રતિમાની ઊંચાઈ સવા દસ ઇંચની છે અને યક્ષ-યક્ષિણી સહિત પહોળાઈ સાડા દસ ઇંચની છે. આમાં પલાંઠી નીચે બેઠકમાં આઠ ગ્રહો કોતરેલા છે. વળી, એના ઉપર આલેખાયેલ અક્ષરો દશમા સૈકાની લિપિનો ખ્યાલ આપે છે. અને એની રચના શૈલી પણ તે સમયની પ્રતીત થાય છે. પરિકર વિનાની આ એકલમલ શ્રી ઋષભદેવની પ્રતિમાના ખભા ઉપર વાળની ત્રણ લટો સુંદર રીતે કોતરેલી છે. પલાંઠી નીચે બેઠકના બંને છેડે એકેક સિંહની આકૃતિઓ જોવાય છે. તેની બાજુમાં કમળ આસનવાળી આકૃતિઓમાં જમણી તરફ બે હાથવાળો યક્ષ, જેના એક હાથમાં ફળ અને બીજા હાથમાં રૂપિયાની થેલી છે તેમજ ડાબી તરફ બે હાથવાળી અંબિકાદેવી, જેના એક હાથમાં આપ્રલંબ છે ને ડાબો હાથ ખોળામાં બેઠેલા બાળક પર હોય એવું સ્પષ્ટ આલેખન છે. ૨. બીજી મૂર્તિ ભગવાન શ્રી પાર્શ્વનાથની ત્રિતીર્થીની છે. તેની ઊંચાઈ સવા દસ ઇંચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy