________________
રાજનગરનાં જિનાલયો
૧૧૭ સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં દોશીવાડમાં ચાર દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“એક નગીના પોળમાં દેવસીવાડે ચઉધાર
ફતાસાની પોળમાં દેહરાં ત્રિણ ઉદાર '' સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ “શાંતિનાથજીના દેરાસર' તરીકે થયેલો છે. ઉપરાંત, દોશીવાડામાં ભાભા પાર્શ્વનાથ તથા સીમંધરસ્વામીનાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે નીચે મુજબ છે.
“દોસિવાડે દોય દેહરા નાથ સકલ ગુણાકરા પાર્શ્વ ભાભા જગત ભાભા સ્વામિ સીમંધરા છે.
વાડે કુસુમ રે શાંતિજિન પ્રતિપે અતિ.........” સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે તેને આદિનાથજીના દેરાસર તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસરમાં પાષાણનાં ૪૪ પ્રતિમાજી તથા ધાતુનાં ૧૭૯ પ્રતિમાજી તથા રત્નની એક પ્રતિમાજી ઉપરાંત પગલાંની ચાર જોડ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ સામરણયુક્ત દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આદિનાથજીના આ દેરાસરમાં ૪૮ પાષાણની અને ૧૬૦ ધાતુની પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે. દેરાસરના વહીવટદાર તરીકે શ્રી ત્રિકમલાલ ડાહ્યાભાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસરમાં એક નિલમ, એક પરવાળા અને એક સ્ફટિકની મૂર્તિ હોવાનો ઉલ્લેખ છે. આ દેરાસર બે માળવાળું હતું અને ઉપરના માળે પણ પ્રતિમાજીઓ બિરાજમાન હતાં.
. આ દેરાસરનો સં. ૧૯૧૨માં “શાંતિનાથના દેરાસર” તરીકે ઉલ્લેખ થયેલો છે. તેથી આ દેરાસર અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. કારણ કે આ દેરાસર દોશીવાડાની પોળનું હાલનું આદિનાથનું દેરાસર હોવાનો મત પણ છે.
- જ્યાં સુધી શાંતિનાથજી અંગેના વધુ પુરાવાઓ પ્રાચીન સમયના ન મળે ત્યાં સુધી આ દેરાસર આદિનાથના દેરાસર તરીકે સં૧૬૬ર પહેલાંના સમયનું સ્વીકારવું રહ્યું.
દોશીવાડાની પોળ
ભાભા પાર્શ્વનાથ ભગવાન (સં. ૧૯૧૨ પહેલાં) દોશી વાડાની પોળના ભાભા પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં મળે છે. રત્નવિજયની રાજનગર તીર્થયાત્રાની રચના સં. ૧૯૧૨માં થઈ હતી. તેમાં નીચે મુજબની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org