________________
૧૧૬
રાજનગરનાં જિનાલયો દોશીવાડાની પોળ
અષ્ટાપદજી (સં. ૧૯૧૨). આ દેરાસરની સ્થાપના સં. ૧૯૧૨માં થઈ હતી. શેઠ મગનભાઈ કરમચંદે આ દેરાસર બંધાવ્યું હતું. તે સમયે રૂ. ૬૫,૦0000નો ખર્ચ થયો હતો. દેરાસરમાં મૂળનાયક આદીશ્વર ભગવાન તથા મૂળનાયક મહાવીર સ્વામી બિરાજમાન છે. આચાર્ય શ્રી હિરવિજયસૂરીશ્વરજી મ. સા.નું ગુરુમંદિર છે. ઉપરાંત, શેઠ-શેઠાણીની મૂર્તિ છે. રાયણનાં પગલાં એટલે કે રાયણના વૃક્ષ નીચે આદીશ્વર ભગવાનનાં પગલાં પણ છે.
અહીં નંદીશ્વર દ્વીપની રચના છે. અષ્ટાપદની મોટા પથ્થરની સુંદર રચના છે. અષ્ટાપદજીની અંદર નંદીશ્વર દ્વીપમાં ચાર અંજનગિરિ પર્વતમાં કાળા આરસ, ૩૨ રતિકર પર્વતમાં લાલ આરસ તથા ૧૬ દધિમુખ પર્વતમાં સફેદ આરસ છે અને દરેક પર્વત પર ચૌમુખજી છે તથા વચ્ચે મેરુ પર્વત બનાવેલ છે. તેની ઉપર પણ ચૌમુખજી છે. અષ્ટાપદનું આ દેરાસર અમદાવાદમાં વિરલ છે.
કસુંબાવાડ
દોશીવાડાની પોળ
આદિનાથ ભગવાન (સં. ૧૬૬૨ પહેલાંનું) આદિનાથજીનું આ દેરાસર બે માળવાળુ ઘુમ્મટબંધી છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસર ૪૦૦થી પણ વધુ વર્ષ જૂનું છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર ઘણી વાર થયો હોવાનો સંભવ છે. છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૦૦ની સાલમાં થયો હતો. તે અગાઉ આ દેરાસર પોરબંદર પથ્થર વાળુ હતું. સં૨૦૦૦ની સાલમાં શ્રી સંઘે સફેદ આરસમાં પુનઃનિર્માણ કર્યું. અને શ્રી આદેશ્વરની પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પુન:પ્રતિષ્ઠા પરમપૂજ્ય આચાર્ય શ્રી સુરેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં થઈ હતી.
આ દેરાસરમાં આરસનાં શિલ્પો ખૂબ જ કલાત્મક અને લાકડાની કોતરણીવાળા છે. આદિનાથની પ્રતિમા પરિકર સહિત ૧૫ ઇંચની છે. ઉપરાંત, આ દેરાસરમાં ગુરુ પ્રતિમાઓ પણ છે. મૂળનાયક ભગવાન ચમત્કારિક ગણાય છે. દેરાસર સંપૂર્ણ આરસના પથ્થરનું છે. ઘુમ્મટમાં પણ સુંદર કોતરણી છે. દેરાસરમાં ઉપરના માળે યંત્રો ભીંત પર ચોંટાડેલા છે.
સં. ૧૬૬રની ચૈત્ય પરિપાટીમાં દોશીવાડામાં ચાર દેરાસરોનો ઉલ્લેખ થયો છે, જેમાં આદિનાથજીના આ દેરાસરનો પણ ઉલ્લેખ થયેલો છે, જે નીચેની પંક્તિઓમાં છે.
“દોસીવાડઈ આદિ જિનવર અઠ્ઠાવીસ મૂરતિ ખરી અજિત જિન પ્રાસાદ સત્યરી સુમતિ દેહરઈ વીસ કરી. મંદિર સામીય જિન શર નામીય આરસઈ અડસઠ જાણીઈએ.”
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org