________________
રાજનગરનાં જિનાલયો
“જૈન રાસમાળા”માં વખતચંદ શેઠ અંગેની નોંધમાં પૃ ૧૭ ઉપર નીચે મુજબની નોંધ આવે છે. “વખતચંદ શેઠે ઝવેરીવાડામાં ઘણાં જિનમંદિરો બંધાવ્યાં. શાંતિદાસ શેઠના સ્મરણાર્થે આદીશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. નથુશાહ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથનું હેઠું કરાવ્યું. અને વખતચંદ શેઠે અજિતનાથ, વીરનાથ, સંભવનાથ વગેરે મૂળનાયકનાં દહેરાં કરાવ્યાં. આવી રીતે ઝવેરીવાડામાં સત્તાવીશ દેહરાં શોભતાં હતાં. શેઠજી સાગરગચ્છના ઉપાશ્રયમાં હંમેશાં આવી ગુરુદેશના-વ્યાખ્યાન સાંભળતાં હતાં.”
ઉપરની નોંધમાં જણાવ્યા મુજબ ‘વીરનાથ’ એટલે કે મહાવીર સ્વામી પ્રભુનું દેરાસર પણ વખતચંદ શેઠે બંધાવ્યું હતું.
કહેવાય છે કે આજે વાઘણપોળમાં રતનપોળના માર્ગ ઉપર આવેલું, મહાવીર સ્વામી ભગવાનના દેરાસરની જગ્યાએ વખતચંદ શેઠે બંધાવેલું, મહાવીર સ્વામીનું દેરાસર વિદ્યમાન હતું. સં. ૧૯૦૩માં એ વિસ્તારમાં મોટી આગ લાગી હતી. તેમાં શેઠની હવેલી તથા આ મંદિરનો નાશ થયો હતો. ત્યારબાદ એ જ જગ્યા ઉપર ફરીથી પ્રેમાભાઈ શેઠે પથ્થ૨નું આજનું વિદ્યમાન દેરાસર બંધાવ્યાનો સંભવ છે. એ સંભવના તર્કને જો સ્વીકારવામાં આવે તો આ દેરાસર સં. ૧૮૫૪ થી સં. ૧૮૫૭ દરમ્યાન વખતચંદ શેઠે બંધાવ્યું હશે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
૧૧૧
આ દેરાસરમાં રંગમંડપમાં અંદરની કોતરણી તથા દેવકુલિકાઓમાંનાં કલાત્મક શિલ્પો ખૂબ જ આકર્ષક છે. મુખ્ય પ્રવેશદ્વાર પર હાથીની ઉપર પાલખીમાંથી વરસીદાન કરતાં હોય તેવું સુંદર રંગકામવાળું ચિત્રાંકન ઉપસાવવામાં આવ્યું છે. આ દેરાસરમાં સ્ફટિકની પાંચ મૂર્તિ અને સ્ફટિકનું થ્રી લખેલ યંત્ર તથા એક ગુરુમૂર્તિ વિદ્યમાન છે. ગભારામાં ધાતુના સર્પનું શિલ્પ ધ્યાન ખેંચે છે. આ દેરાસરની ભોમતીના દરેક ગોખમાં મોટે ભાગે ત્રણ પ્રતિમાજીઓ છે. રંગમંડપમાં પાંચ ગોખ છે. તેમાં પાંચ આરસની પ્રતિમાઓ છે. રંગમંડપના ઘુમ્મટમાં પૂતળીઓનાં શિલ્પ છે રંગમંડપમાં આરસના એક યક્ષ તથા ગભારામાં ધાતુના એક યક્ષની નાની પ્રતિમા છે.
નગીના પોળ
આદિનાથ (સં. ૧૯૦૨)
રતનપોળ નગીનાપોળમાં આવેલું આદિનાથ ભગવાનનું દેરાસર ધાબાબંધી છે. આ દેરાસર સં. ૧૯૦૨માં ઉમાભાઈ શેઠે બંધાવેલું. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
Jain Education International
“પ્રકાશ પ્રભુનો પોલ નગીના આદિ જિનવર સુણ્યો સાહપુર મે નાથ સંભવ ભક્તિભાવે સંપુણ્યો ||’
For Personal & Private Use Only
www.jainelibrary.org