________________
રાજનગરનાં જિનાલયો
સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં અમદાવાદનાં જૈન દેરાસરોની યાદીનો આરંભ નગીના પોળના આદીશ્વર ભગવાનના દેરાસરથી થાય છે. તેમાં દેરાસર બંધાવનારનું નામ ઉમાભાઈ શેઠનું જ દર્શાવવામાં આવ્યું છે અને બંધાયાની સાલનો ઉલ્લેખ પણ સં ૧૯૦૨નો દર્શાવવામાં આવ્યો છે.
૧૧૨
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. વહીવટદાર તરીકે મંગળદાસ છોટાલાલનું નામ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે દેરાસરમાં સોનાના એક સિદ્ધચક્રનો ઉલ્લેખ થયેલો છે.
આદીશ્વર ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાજી પરિકર સહિતની ઓગણીસ ઇંચ ઊંચાઈની છે. દેરાસરમાં આજે પણ એક નીલમની મૂર્તિ વિદ્યમાન છે.
આ દેરાસર માત્ર આરસમાંથી બનાવેલ છે. તથા કોઈ પણ જગ્યાએ ખીલીનો પણ ઉપયોગ કર્યો નથી. માત્ર દેરાસરના બારી-બારણામાં જર્મન-સિલ્વર ધાતુની ખીલીઓનો ઉપયોગ થયો છે.
આ દેરાસરમાં અષ્ટાપદ, શેત્રુંજય, ગિરનારજી, પાવાપુરી, સમેતશિખરજી, શંખેશ્વરજી, આબુ-દેલવાડા તથા સિદ્ધચક્ર યંત્ર એમ કુલ આઠ પટ છે. આ આઠે પટ સોનાના વરખ પર છે.
પતાસા પોળનાં દેરાસરો
પતાસાની પોળમાં સં. ૧૬૬૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૬૨ દરમ્યાન પતાસાની પોળ રાજનગરની જૈનસંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હશે. કારણકે લલિતસાગર મહારાજે સં. ૧૬૬૨માં રચેલી ચૈત્ય પરિપાટીની શરૂઆત પતાસાની પોળના જૈન દેરાસરોથી થાય છે. તે સમયે તે ફતા મહેતાની પોળનાં નામથી પ્રચલિત હતી. આજનો ઢીંકવા ચોકીનો વિસ્તાર તે સમયે ‘ઢીંકુવા'ના નામથી પ્રસિદ્ધ હતો. ફતાસાની પોળ ઢીંકવા વિસ્તારની ગણાતી હતી.
આજથી નેવું વર્ષ પહેલાં પતાસાની પોળમાં સૌથી વધારે ઘ૨ દેરાસરો હતાં. રાજનગરની કોઈપણ પોળમાં કે વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ઘર દેરાસરોનો ઉલ્લેખ મળતો નથી. તેથી જૈન સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પતાસાની પોળ ત્રણ-ત્રણ સૈકાઓ સુધી પોતાનો ભાગ ભજવતી આવી છે. પતાસાની પોળના લાલા હરખચંદ, શેઠાણી હરકુંવર, ઉમાભાઈ રૂપચંદ જેવા અનેક જૈન શ્રેષ્ઠીઓએ રાજનગરના સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક વિકાસમાં પોતાનો બહુમૂલ્યો ફાળો આપ્યો છે.
સં. ૧૬૬૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં પતાસાની પોળનાં તે સમયનાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ આવે છે. મહાવીર સ્વામી, શ્રેયાંસનાથ, પદ્મપ્રભુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org