________________
૧૦૮
રાજનગરનાં જિનાલયો આદેશ્વર ભગવાન
વાઘણપોળ (સં. ૧૮૦૦) વાઘણ પોળમાં આવેલું આદેશ્વરજીનું આ દેરાસર ઘુમ્મટબંધી અને ભોંયરાવાળું છે. સુવિધિનાથજી તથા તેમના ગભારામાંની બધી પ્રતિમાજીઓ સં. ૧૬૮૨ના મૂર્તિલેખવાળી છે. ભોમતીમાં ક્ષેત્રપાલજીનો ગભારો છે. આ ભોમતીમાં જ કાચજડેલું જાળિયું છે જેમાંથી ભોંયરાના ભગવાન આદેશ્વરજીનાં દર્શન થાય છે. રંગમંડપના જાળિયામાંથી અને ભોયરાના દાદર ઊતરતાં એક જાળીવાળી બારીમાંથી ભોંયરાના ભગવાનની ઝાંખી થાય છે. ભોંયરામાં ત્રણેય મોટી પ્રતિમાજી આદેશ્વર ભગવાનની છે અને તેના પરનો મૂર્તિલેખ સં. ૧૮૦૦ (શક સં. ૧૬૬૬) વાંચી શકાય છે. ભોંયરાના ગભારામાં પથ્થરની કોતરણીવાળો કેટલોક ભાગ તથા રંગમંડપના પથ્થરના થાંભલા છે જે સૂચવે છે કે એક સમયે આ દેરાસર પથ્થરનું હશે. જીર્ણોદ્ધાર થઈને હાલ આરસનું બન્યું છે. ભોંયતળિયે સુવિધિનાથજીની સામે શેઠ-શેઠાણીની મૂર્તિ છે તેમાં સં૧૯૦૩ લખેલ છે.
આ દેરાસરનો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. કારણ કે નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સરસપુરના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાંથી જે મૂર્તિઓ ખસેડી હતી, તે મૂર્તિઓ પૈકીની ત્રણ મૂર્તિઓ આ દેરાસરમાં છે.
નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું એ ભવ્ય જિનાલય ઔરંગઝેબે સં. ૧૭૦૦માં તોડ્યું હતું. બરાબર સો વર્ષ પછી એટલે કે સં૧૮૦૦માં નગરશેઠ શાંતિદાસના પૌત્ર નગરશેઠ ખુશાલચંદે આદિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા સં૧૮૦૦માં કરાવી. આ પ્રતિષ્ઠા સાગર ગચ્છના આચાર્ય શ્રી રાજસાગરસૂરિની પરંપરાના ભટ્ટારક શ્રી કલ્યાણ સાગર સૂરિની નિશ્રામાં થઈ હતી. આ મુજબની માહિતીવાળો લેખ આજે પણ ઉપલબ્ધ છે. .
આ દેરાસર વિશેનો ઉલ્લેખ ઈ. સ. ૧૮૫૦માં (સં. ૧૯૦૬) લખાયેલ “અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથમાં પૃ. ૧૪૨-૧૪૩ પર થયેલો છે. નગરશેઠ શાંતિદાસ ઝવેરીના સરસપુરના બાવન જિનાલયની નોંધમાં તેઓ નીચે મુજબનો ઉલ્લેખ કરે છે.
આ દહેરાના (સરસપુર ચિંતામણિ પાર્શ્વનાથના બાવન જિનાલય) ચોમુખની ચાર પ્રતિમાઓ ગાડામાં બેસાડી ઝવેરીવાડામાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિઓ જેને આદીશ્વરનું ભોંયરું કહે છે તે ભોંયરામાં બેસાડી, ને ચોથી મૂર્તિ ઝવેરીવાડામાં નિશાપોળમાં જગવલ્લભના ભોંયરામાં બેસાડી તથા મૂળનાયકની મૂર્તિ નાની સામળી ચિંતામણિ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દહેરામાં પધરાવી. તે મૂર્તિઓ હાલ પણ છે.”
આદેશ્વર ભગવાનના આ દેરાસર અંગે ગુજરાતનું પાટનગર, અમદાવાદમાં પૃ. ૬૧૫ પર નીચે મુજબની નોંધ મળે છે.
ત્યાં જ (ઝવેરીવાડામાં જ) આદીશ્વર ભગવાનનું મંદિર છે. આ મંદિર ઈ. સ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org