SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૦૭ ઝવેરબાઈએ પ્રતિષ્ઠા કરાવ્યાની નોંધ છે. શિલાલેખોને આધારે સં૧૮૯૭માં ચિંતામણિપાર્શ્વનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર સુરજમલ શેઠે કરાવ્યાની નોંધ છે. મગનલાલ વખતચંદ કૃત “અમદાવાદનો ઇતિહાસ' પૃ. ૧૪૨-૧૪૩ પર આ અંગેની એક નોંધ જોવા મળે છે. આ નોંધ નીચે મુજબ છે. આ દહેરાનાં (સરસપુરમાં આવેલા નગરશેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના) ચોમુખની ચાર પ્રતિમાઓ ગાડામાં બેસાડી ઝવેરીવાડમાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિઓ જેને આદીશ્વરનું ભોંયરું કહે છે તે ભોંયરામાં બેસાડી, ને ચોથી મૂર્તિ ઝવેરીવાડમાં નિશા પોળમાં જગવલ્લભના ભોંયરામાં બેસાડી તથા મૂળનાયકની મૂર્તિ નાની સામળી ચિંતામણિ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દહેરામાં પધરાવી. તે મૂર્તિઓ હાલ પણ છે.” આ દેરાસરમાં જ સં૧૯૪૦માં ઊજમબાઈએ ચૌમુખજીનું નાનું દેરાસર બનાવડાવ્યું. સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં સંભવનાથજી તથા શાંતિનાથજીનું દેરાસર બંને દેરાસરોનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે. અને બંધાવનારનું નામ શેઠ ઇચ્છાચંદ વખતચંદ દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, તેમાં સંભવનાથજીનાં દેરાસરમાં પગલાંની એક જોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે અને બંધાવનારનું નામ શેઠ સુરજમલ વખતચંદ દર્શાવવામાં આવ્યું છે. - સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં ચિંતામણિ પાર્શ્વનાથજી, શાંતિનાથજી તથા સંભવનાથજી-આ ત્રણેય દેરાસરો ઘુમ્મટબંધ હોવાનો ઉલ્લેખ છે. આ ત્રણેય દેરાસરો ચિંતામણિ પાર્શ્વનાથનાં દેરાસરની અંદર છે તેવો પણ ઉલ્લેખ છે. ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પાવાપુરી તથા શેત્રુંજયના પટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે શાંતિનાથજીના દેરાસરમાં મૂળનાયક પર સં. ૧૮૫૪નો લેખ હોવાનો ઉલ્લેખ છે. વાઘણપોળ શાંતિનાથ (સં. ૧૯૪૦) વાઘણપોળમાં આવેલું શાંતિનાથ ભગવાનનું દેરાસર શેઠાણી ઊજમબાઈએ બંધાવ્યું છે. મૂળનાયક પર સં૧૯૦૩નો લેખ છે. સંભવ છે કે હઠીસિંહના દેરાસરમાં સં. ૧૯૦૩માં થયેલી પ્રતિષ્ઠા સમયે અંજનશલાકાવાળી આ પ્રતિમા હોય, આ દેરાસરમાં આરસની એક ગુરુમૂર્તિ છે. સં. ૧૯૧૨ની ચૈત્યપરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયો નથી. તેવી આ દેરાસર તે પછીના સમયનું એટલે કે સં. ૧૯૧૨ પછીનું હોવાનો વિશેષ સંભવ છે. આ દેરાસર સં. ૧૯૪૦માં બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy