SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ રાજનગરનાં જિનાલયો લાકડાની થાંભલી અને પાટડી ઉપર સુંદર કારીગરી નજરે પડે છે.” “જૈન રાસમાળા”માં “શ્રી શાંતિદાસજી શેઠજીનો રાસ'માં ૩૮મી ઢાળમાં પૃ. ૮૪ ઉપર નગરશેઠ વખતચંદે સં. ૧૮૫૫માં અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. તે અંગેની નોંધ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “સંવત અઢાર પંચાવને રે લોલ, અજિતનાથ મહારાજ, ઓચ્છવ બહુ યુક્ત કરી રે લોલ, શેઠજી વધારી લાજ ઉદયસાગરસૂરિ તેડીને રે લોલ, પ્રતિષ્ઠા કેઈ બિંબ કીધ. ધન લાહો લઈ શેઠજી રે લાલ, પ્રભુ બેસાડી જશ લીધો.” દેરાસરના રંગમંડપની છતમાં તથા ગભારાની આજુબાજુમાં કાષ્ટની કોતરણીનાં દર્શન થાય છે. ઉપરાંત, સં. ૧૮૯૧માં નગરશેઠ હેમાભાઈએ આ દેરાસરમાં સુવિધિનાથ કેસરિયાજી પધરાવ્યાં હતાં. વાઘણપોળ ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન (સં. ૧૮૫૪) વાઘણપોળમાં આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના આ ઘુમ્મટબંધી દેરાસરમાં ચાંદીના પરિકરયુક્ત મૂળનાયકની મનોહર, શ્યામ મૂર્તિ અત્યંત મનોહર છે. ગભારામાં પાર્શ્વનાથ ભગવાનની જ મૂર્તિઓ વધારે છે તથા આરસના પદ્માવતી દેવીની મૂર્તિ ગભારામાં છે. આ દેરાસરમાં પથ્થરમાં કોતરેલ કુલ ૩ (ત્રણ) પટ છે. ૧. અષ્ટાપદજીનો, ૨. તેની નીચે શત્રુંજયનો અને, ૩. તેની બાજુમાં પાવાપુરીનો પટ. શત્રુંજયના પટમાં દરેક ટૂકની મૂળનાયકની પ્રતિમાજી કોતરેલા છે. આ બધી પ્રતિમાજી કરતાં તીર્થાધિરાજ આદેશ્વરની પ્રતિમાજી મોટી છે. ચિંતામણિ પાર્શ્વનાથનો રંગમંડપ ભવ્ય છે. જમીન પર રંગમંડપના થાંભલા પર કોતરણી છે. દેરાસરમાં સુંદર કમાનોની રચના છે. થાંભલા પર સુંદર પૂતળીઓની રચના છે. રંગમંડપમાં આવેલા બે ભંડાર બધાંનું ધ્યાન ખેંચે છે. આ ભંડાર કાષ્ટના બનેલા છે. હાથીની આકૃતિવાળા છે. હાથીએ સૂંઢમાં આમ્રલંબ પકડેલી છે. આ જિનાલયમાં ત્રણ દેરાસર છે. ૧. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, ૨. શાંતિનાથજી, ૩. સંભવનાથજી. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર નગરશેઠ નથુશાએ બંધાવ્યાનો ઉલ્લેખ છે. શાંતિનાથના દેરાસરની ભીંત પરના લેખમાં સં. ૧૮૭૨માં શેઠ ઇચ્છાચંદ વખતચંદ તથા શેઠાણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy