________________
૧૦૫
રાજનગરનાં જિનાલયો સંભવ છે.
ટૂંકમાં, આજે ઉપલબ્ધ પુરાવાઓને આધારે આ દેરાસર સં. ૧૯૬૩ પહેલાનું ગણી
શકાય.
વાઘણ પોળ-ઝવેરીવાડ
અજિતનાથ (સં. ૧૮૫૫) મોટી ભોમતીયુક્ત આ દેરાસર કાષ્ટનું હતું. અને આજે પણ ઘણો બધો ભાગ કાષ્ટની કોતરણીવાળો જોવા મળે છે. જોકે જીર્ણોદ્ધારને કારણે ક્યાંક ક્યાંક આરસ પણ નજરે ચડે છે. દેરાસરના પ્રવેશદ્વારની બહાર બે મોટા ગોખમાં યક્ષ-યક્ષિણી બિરાજમાન છે. અને દેરાસરની અંદર વખતચંદ શેઠ અને તેમના ધર્મપત્નીની મૂર્તિઓ છે. દેરાસરની બહાર પાલખીમાં જતાં વખતચંદ શેઠનું ચિત્ર લટકાવેલું છે.
મૂળનાયકનો મૂર્તિલેખ સં. ૧૮૫૪ની સાલ દર્શાવે છે. તેની બાજુમાં પ્રતિમાજી પર સં. ૧૬૮૨ની સાલ આપેલી છે. મૂળનાયકની આજુબાજુના ભગવાન પરિકરયુક્ત છે. મૂળનાયક ભગવાન અજિતનાથ આરસના કોતરણીયુક્ત, સ્તંભ અને તોરણ સાથેના પરિકરયુક્ત છે. દેરાસરમાં શત્રુંજયનો આરસનો પટ છે. રંગમંડપના ઘુમ્મટની પૂતળીઓની કાષ્ટની કારીગરી બેનમૂન છે. કાષ્ટની કારીગરીવાળા થાંભલાની ઉપરની બાજુએ કાષ્ટની કોતરણીમાં નેમનાથનો વરઘોડો જોવા મળે છે. ભોમતીમાંના ગભારામાંની ધાતુની સં. ૧૧૧૦ની કાઉસ્સગ્ગીયા મૂર્તિ, તેની બાજુમાં પદ્માવતી દેવીનો ગોખ તથા ભોમતી પૂરી થતાં શ્રી સરસ્વતીદેવીનો ગોખ ધ્યાન ખેંચે છે.
' આ દેરાસરનું બાંધકામ તથા પ્રતિષ્ઠા સં૧૮૫૫માં થઈ હતી. શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ શેઠ વખતચંદે આ દેરાસર તૈયાર કરાવ્યું હતું. સં. ૧૮૫૫માં આચાર્ય ઉદયસાગરસૂરિએ અજિતનાથ પ્રભુની બિંબ પ્રતિષ્ઠા કરી. આ સમયે ઘણી ધામધૂમથી મહોત્સવ થયો હતો. બીજા શ્રીમંત શ્રાવકોએ પણ જુદા જુદા બિંબની સ્થાપના કરાવી. મહોત્સવના આ પ્રસંગે જયજયકાર વર્તી રહ્યો હતો. આ દેરાસર અંગે “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં નીચે મુજબની નોંધ છે.
ઝવેરીવાડની વાઘણપોળમાં શેઠ વખતચંદ ખુશાલચંદે બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ છે. તેમાં પ્રવેશતાં જ શ્રી અજિતનાથ ભગવાનની ધાતુની કાઉસગ્ગિયા મૂર્તિ ઉપર સં૧૧૧૨ની સાલનો લેખ છે. આનું મૂર્તિવિધાન શાસ્ત્રીય દૃષ્ટિએ આબેહૂબ છે. આની સરખામણીની બીજી પ્રતિમાનો નમૂનો ક્યાંયથી મેળવવો દુર્લભ ગણાય. આમાં શેઠ-શેઠાણીની આરસની ત્રણ મૂર્તિઓ છે, જે આ મંદિરમાં લાકડામાં કોરેલો સુંદર નારીકુંજર છે, જે જૈનોના વરઘોડામાં ફેરવવામાં આવતો હતો. રંગમંડપની રા-૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org