SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ રાજનગરનાં જિનાલયો ચૌમુખજીની ખડકી કોઠારી પોળ (સં. ૧૯૬૩ પહેલાં) અજિતનાથ ઝવેરીવાડમાં ચૌમુખજીની ખડકીમાં અજિતનાથ ભગવાનનું દેરાસર ઘુમ્મટબંધ છે. અગાઉ આ દેરાસરનો વિસ્તાર “સુથારની ખડકીનાં નામથી પ્રચલિત હતો. અજિતનાથના આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં ઘુમ્મટબંધ તરીકે થયેલો છે. દેરાસર શ્રી સંઘે બંધાવ્યાનો નિર્દેશ છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની એકવીસ પ્રતિમાજી અને ધાતુની ગેપન પ્રતિમાજી હોવાનો ઉલ્લેખ છે. મૂળનાયક અજિતનાથજીની પદ્માસનસ્થ પ્રતિમા એકત્રીસ ઇંચ ઊંચાઈની છે. - આજે આ દેરાસરમાં પાષાણની ચોવીસ અને ધાતુની ચોસઠ મૂર્તિઓ વિદ્યમાન છે. આ દેરાસરમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ” ભા-૧માં થયેલો છે. “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા૧ પૃ. ૨૩૩-૨૩૬માં સુથારની ખડકીના શ્રી અજિતનાથજીના આ દેરાસરમાં ધાતુની પ્રતિમાના લેખોની નોંધ રજૂ થયેલી છે, જેમાં સં. ૧૪૮૯ની ૧૫મા સૈકાની, સં. ૧૫૦૫, સં. ૧૫૦૯, સં. ૧૫૧૦, સં. ૧૫૧૮, સં. ૧૫૨૦, સં. ૧૫૨૩ વગેરે ૧૬મા સૈકાની તથા સં. ૧૬૧૭ની ૧૭મા સૈકાની પ્રતિમાજીઓનો ઉલ્લેખ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજે કર્યો છે. આટલી મોટી સંખ્યામાં ધાતુની પ્રાચીન પ્રતિમાજીઓ હોવાથી આ દેરાસર વધુ પ્રાચીન હોવાનો સંકેત કરે છે. આ દેરાસરમાં સં. ૧૪૮૬ના લેખવાળી શેઠ-શેઠાણીની એક મૂર્તિ છે. ઉપરાંત, સંભવનાથજીની એક ખૂબ જ પ્રાચીન પ્રતિમા પણ વિદ્યમાન છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસર ઘુમ્મટબંધ તરીકે દર્શાવવામાં આવ્યું છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની એકવીસ અને ધાતુની ઓગણપચાસ પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે અને વહીવટદાર તરીકે હરખચંદ મોહનલાલના નામનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૭૯માં આ દેરાસરની વર્ષગાંઠ જેઠ સુદ-૨ દર્શાવવામાં આવેલી છે. આજે પણ આ દેરાસરની વર્ષગાંઠ જેઠ સુદ-૨ દર્શાવવામાં આવે છે. આ દેરાસર સં. ૧૯૬૩ પહેલાનું છે. સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો નથી. તેથી આ દેરાસરનો સમય વધુ પ્રાચીન નક્કી કરવા માટે વધુ પુરાવાઓની જરૂર છે. અને આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. એક સમયે કોઠારી પોળના વિસ્તારમાં આવેલા સંભવનાથજીની ખડકીનાં દેરાસર, ચૌમુખજીની ખડકીનું દેરાસર-વગેરેનો ઘણીવાર જીર્ણોદ્ધાર થયો હોવાથી ત્યાં જ આવેલ આ દેરાસરની પ્રાચીનતા નક્કી કરવા માટેનાં સાધનો નષ્ટ પણ થઈ ગયા હોય એમ બનવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy