________________
રાજનગરનાં જિનાલયો
૧૦૩ ભોમતીની બહાર નીકળતાં બંને બાજુએ ઓરડીઓ છે જેમાં ઘણાં પ્રતિમા છે.
સં. ૧૯૬૨માં આ દેરાસરનો ઉલ્લેખ કોઠારીપોળના દેરાસર તરીકે થયેલો છે. મૂળનાયક ઉપર સં. ૧૬૩રનો લેખ છે. દેરાસરનો ઉલ્લેખ સં. ૧૬૬રમાં રચાયેલી લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબ મળે છે.
“પાટક કોઠારીઈ વિરજિન શત ત્રેવીસ લહજઈજી ઊપરિ સહસ્ત્ર ત્રણનઈ માઝનઈ ભુંઅરઈ સંભવનાથજી પ્રતિમા ચુસઠિ વંદુ રંગિ ચુમુખિ શ્રી શાંતિનાથજી | દેહરી સહીત હોઈ છત્તીસ આગલિ કલિકુંડ સ્વામિજી
મૂરતિ પ્યાર વાંદીનઈ જઈઈ શીતલ વસહી ટામિજી ” આજની સંભવનાથની ખડકીનો વિસ્તાર તથા ચૌમુખીજીની ખડકીનો વિસ્તાર સં. ૧૬૬રમાં “કોઠારી પાટક” તરીકે એટલે કે કોઠારી પોળ તરીકે જાણીતો હોવાનો સંભવ છે. તે સમયે આ વિસ્તારમાં મહાવીર સ્વામી, શાંતિનાથ ચૌમુખ, કલિકુંડ પાર્શ્વનાથ, સંભવનાથ તથા શીતલનાથનાં દેરાસરોનો ઉલ્લેખ મળે છે. એટલે કે ચૌમુખજીની ખડકીમાં આવેલું શાંતિનાથ ચૌમુખજીનું દેરાસર અને કલિકુંડ પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૬૬રમાં વિદ્યમાન હતું.
- સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે અને બંધાવનારનું નામ મગનભાઈ ઢબુવાલા દર્શાવવામાં આવ્યું છે. સંભવ છે કે મગનભાઈ ઢબુવાલાએ આ દેરાસરનો અગાઉ જીર્ણોદ્ધાર કરાવ્યો હશે.
એ વિસ્તારમાં ઝવેરી મોહનલાલ મગનભાઈના પિતા મગનભાઈ હકમચંદે જૈન શાસનનાં ઘણાં કાર્યો કર્યાં હતાં. તેઓએ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જે અંગે ગુજરાતનું પાટનગર, અમદાવાદ' ગ્રંથમાં રત્નમણિરાવ જોટેએ પૃ. ૬૬૫-૬૬૬ ઉપર નીચે મુજબની નોંધ કરી છે.
“ચૌમુખજીની પોળમાં ચૌમુખજીનું મંદિર ઈ. સ. ૧૮૬૬માં (સં. ૧૯૨૨માં) શેઠ મગનભાઈ હકમચંદે રૂા. ૪૫,૦૦૦ ખર્ચીને કરાવ્યું હતું.”
એટલે કે તેઓએ આ દેરાસરમાં જીર્ણોદ્ધારનો ખર્ચ રૂ. ૪૫,૦૦૦ કર્યો હતો.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શેઠ મગનલાલ ઢબુવાલાના નામનો ઉલ્લેખ થયેલો છે. વહીવટદારનું નામ મણિલાલ મોહનલાલ દર્શાવેલું છે. મૂળનાયકનો લેખ સં૧૬૩૨નો દર્શાવવામાં આવ્યો છે. તે સમયે એક ગુરુમૂર્તિ, એક સ્ફટિક તથા એક પરવાળાની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org