________________
૧૦૦
રાજનગરનાં જિનાલયો (ગર્ભગૃહ) હોય છે. અને એની ઉપર ઘુમ્મટ હોય જેથી ગર્ભગૃહ ઉપર અવરજવર ન થાય અને અશાતનાથી બચાય. અહીં અલગ પ્રકારની રચના જોવા મળે છે. આપણે આગળ જોયું તેમ એની બાજુમાં આવેલી સીડી એ મહાવીર સ્વામીના ગભારામાંથી અહીં પડે છે.
સંભવનાથના ગભારામાં મૂળનાયક સહિત બીજા ચાર આરસના પ્રતિમાજીઓ છે. આ બધી પ્રતિમાઓ મોટી છે પણ સંભવનાથજીની પ્રતિમા સૌથી વધુ મોટી છે. મૂર્તિલેખ ઉપર સં. ૧૬૫૯નો લેખ પ્રાપ્ત થાય છે. મૂળનાયકના પરિકરમાં આવેલ કાઉસ્સગ્નિયા ભગવાનના લેખમાં સં. ૧૬૬ર લખેલ છે
ગર્ભગૃહમાંની બધી પ્રતિમાઓ પરિકરયુક્ત છે અને તેની બેઠક સુંદર કોતરણીયુક્ત છે. સંભવનાથ અને તેની આજુબાજુની એકેક પ્રતિમા-આમ ત્રણેય પ્રતિમાઓના પબાસનો સુંદર શિલ્પો-પ્રાણીઓ દેવ-દેવીઓ નવગ્રહ અને ભગવાનની નીચે માતાની મૂર્તિ નજરને મોહી લે છે. આ આખેઆખો ભાગ ક્યાંકથી લાવી અને ફિટ કર્યો હોય તેવું જણાય છે. * . .
રંગમંડપમાં સામસામે થઈ કુલ છ ગોખ છે, જેમાં મૂળનાયકની જમણી બાજુ મુનિસુવ્રત ભગવાન તથા સુપાર્શ્વનાથજીની વચ્ચેનો ગોખ પૂરી દેવામાં આવેલ છે. એક સ્થાનિક ભાઈએ માહિતી આપી કે ભાવનગરમાં આવેલી દાદાવાડીના દેરાસરમાંના મૂળનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામી અહીંથી ત્યાં લઈ જવાયા હોવા જોઈએ. દાદાવાડીના દેરાસરની બહારના એક બોર્ડ ઉપર એવી વિગતની નોંધ છે કે ત્યાંના મહાવીર સ્વામી ભગવાન સંભવનાથની ખડકીના સંભવનાથજીના દેરાસરમાંથી લાવેલ છે. આ અંગે વિશેષ સંશોધન કરવું જરૂરી છે. અહીં પણ ગોખમાંના બધા ભગવાનની બેઠક ગભારાના ભગવાનની નીચે છે તેવી જ સુંદર છે. અને અજિતનાથ ભગવાન સિવાયના બધા જ ભગવાન પરિકરયુક્ત છે. આ ગોખમાંના ભગવાન આ પ્રમાણે છે. મૂળનાયકની ડાબી બાજુ સુપાર્શ્વનાથ અને મુનિસુવ્રત સ્વામી જેમાં સુપાર્શ્વનાથનો મૂર્તિલેખ સં. ૧૬૮૨ની સાલ બતાવે છે. જમણી બાજુ શીતલનાથ, અજિતનાથ અને નેમનાથજી ભગવાન છે. અજિતનાથ ભગવાનની મૂર્તિલેખમાં ૧૬૮૨ દર્શાવેલ છે. તેમનાથજી તથા મુનિસુવ્રત સ્વામી પ્રતિમાજી શ્યામળી છે. ભગવાન મુનિસુવ્રતની પ્રતિમા મનવાંછિત ફળ દેનારી ચમત્કારિક ગણાય છે. આ પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.
સંભવનાથના આ ગભારામાં બે પતરાં જડેલાં, લગભગ નવેક ફૂટ ઊંચાં, મોટા લાકડાનાં અતિઅતિ પ્રાચીન હોય તેવા દીવા છે. છેક ઉપર દીવાની જગ્યા છે તે કાણાવાળી છે અને અધવચ્ચે બીજા દીવાઓ મૂકી શકાય તેવું સ્ટેન્ડ છે. દીવા ભગવાનની આજુબાજુ મૂકવામાં આવે તો તે મૂળનાયકના કાન સુધી આવે છે. આ દીવા સળગાવીને ત્યાં રાખવામાં આવે તો ઉપરના જાળિયામાંથી ભોંયરામાંના ભગવાનનાં સ્પષ્ટ દર્શન થઈ શકે. પહેલાં આ મૂર્તિનાં દર્શન સીધાં જ થતાં હતાં. હવે જાળિયું ઊંચું બનાવ્યું હોવાને કારણે અરીસાની રચના દ્વારા દર્શન થાય છે.
ચોકમાં છ પગલાંની જોડવાળી દેરી છે, જેમાં શ્રી રવિસાગર, શ્રી બુદ્ધિસાગર, શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org