SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો પદ્મપ્રભુની પ્રતિમા છે. તેના પર ફેણવાળું પરિકર છે ! ગભારાની બહાર ભગવાનની અંગરચના માટેનું ત્રણ મજલાયુક્ત અરીસાજડિત સોહામણું સ્ટેન્ડ છે. 22 રંગમંડપમાં ડાબી બાજુ પર ખૂણામાં એક સુંદર કોતરણીવાળા શ્યામ આરસના ચૌમુખજીનું દેરાસર છે, જેની લગોલગ, નીચે શાંતિનાથજીના ભોંયરામાં જવાની સીડી છે. આ ચૌમુખજીને શ્યામ રંગનું સુંદર કોતરણીવાળું શિખર છે, જેને ધાતુનો કળશ છે. વચ્ચેના ચૌમુખજીની ચાર પ્રતિમાજી ધાતુના છે. સ્થાનિક માહિતી પ્રમાણે અસલની શ્યામ મૂર્તિઓની ચોરી થયા પછી એને મૂકવામાં આવેલ છે. આમ, ચૌમુખજીનું આ દેરાસર વિશિષ્ટ પ્રકારનું લાગે છે. ઉપર જણાવ્યા મુજબ તેની વચ્ચોવચ ચાર ધાતુના પ્રતિમાજી છે પણ તેની નીચેની એક બાજુ શ્યામળી પ્રતિમાજી છે, પગથિયાં પણ છે. અને પગથિયાં પર ચારે બાજુ બબ્બે હાથીની રચના પણ છે. આ આખા દેરાસરની સાચવણી માટે નીચે શ્વેત આરસની બેઠક કરાવેલ છે. અને એને ઉપરથી ચારે બાજુ કાચ અને જાળીથી કવર (Cover) કરેલું છે. આ કવર કરેલ જાળીની ઉપર બીજો મોટો ધાતુનો કળશ છે. સુપાર્શ્વનાથજીના આ દેરાસરની નીચે ભોંયરામાં કમાનબંધ રચનાવાળું, ઉપરથી પ્રકાશ આવે તેવું શાંતિનાથજીનું દેરાસર આવેલું છે. શાંતિનાથજીના ગભારાની સામે હાલમાં આરસની દીવાલ છે. દીવાલની વચ્ચે ગોખ જેવી કે ‘ડોકાબારી' જેવી નાની જગ્યા એક સમયે હોય તેવી જોવા મળે છે. જોકે હાલ પૂરી દેવામાં આવી હોય તેવું લાગે છે. રચના પરથી અસલમાં મુખ્ય દેરાસર આ જ હોવાનો સંભવ વિશેષ જણાય છે. અહીં ગભારામાં મૂળનાયક સિવાય આરસના ચાર પ્રતિમાજી છે, જેમાં ત્રણ મોટા કદના પ્રતિમાજી છે. ધાતુના ત્રણ પ્રતિમાજી છે, સિદ્ધચક્ર પણ છે. મૂળનાયક તથા અન્ય ત્રણ પ્રતિમાજીઓ પર સં૰ ૧૬૫૯નો લેખ છે. પરિકરયુક્ત એક આરસના પ્રતિમાજી કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. આરસનાં સાત પગલાંની જોડ અને એક પગલું (અર્બીજોડ) છે. મૂળનાયક અને અન્ય એક આરસના નાના પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયમાં ભરાવી હોય તેવી તેની રચના છે. બંને મૂર્તિના આરસ અને તેનું ફિનિશિંગ અન્ય મૂર્તિઓ કરતાં જુદાં પડે છે. અહીં આરસનાં શિલ્પો ભીંત પર ચોંટાડવામાં આવ્યાં છે. તદુપરાંત જેમાં પાંચ આરસની મૂર્તિ જડવામાં આવી છે તેવું થાંભલાવાળું એક શિલ્પ છે જે કોઈ મોટા થાંભલામાંથી જુદો પડેલો ભાગ હોય તેવું દેખાય છે. રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુએ એક ગોખ છે તેમાંથી બે મૂર્તિઓ ખસેડવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાય છે. આ જ મૂર્તિઓ ઉપર મહાવીર સ્વામીના ગભારામાં ખસેડાઈ હોય તેવું સ્પષ્ટ જણાય છે. હાલમાં આ ગોખમાં જુદા જુદા ભગવાનના ફોટાઓ મૂકેલા છે. શાંતિનાથના ગભારામાંથી થોડાં પગથિયાં નીચે ઊતરતાં ઊંડાઈએ સંભવનાથ ભગવાનનું ભોંયરું આવે છે. ભોંયરાની ઉપર ખુલ્લો ચોક છે. તેની વચ્ચે બારી (જાળી) મૂકીને ભોંયરામાંની પ્રતિમાજીનાં દર્શન થાય તેવી રચના કરેલ છે. સામાન્ય રીતે ભોંયરાની ઉપર બીજું દેરાસર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy