________________
રાજનગરનાં જિનાલયો
કરવી એ ચતુર્વિધ સંઘનું પરમ કર્તવ્ય છે. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના સદુપદેશથી લહેરિયા પોળના શ્રી મહાવીર પ્રભુના આ દેરાસરજીમાં પંચકલ્યાણકની પાંચ દેરીઓ તથા તેની ભીંતમાં પંચકલ્યાણકના સુંદર પટો કોતરાવીને પધરાવેલ છે.
ઝવેરી પોળ
ઝવેરી વાડ (સં. ૧૯૧૨ પહેલાં) મહાવીર સ્વામી
ઝવેરીવાડમાં ઝવેરીપોળમાં આવેલું મહાવીર સ્વામીનું આ દેરાસર સં ૧૯૦૩ પછી બંધાયું હશે. કારણ કે મૂળનાયક પર સં. ૧૯૦૩નો લેખ છે.
સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે અને શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની ૧૫ પ્રતિમાજીઓ અને ધાતુની ૨૪ પ્રતિમાજીઓનો અને પગલાંની એક જોડનો ઉલ્લેખ છે. તે સમયે આ દેરાસરની સ્થિતિ સારી હાલતમાં હતી. ત્યારબાદ સં. ૧૯૭૯માં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તેની વર્ષગાંઠ તે સમયે શ્રાવણ સુદ-૧ દર્શાવવામાં આવેલી છે.
૯૩
સં ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. શ્રી સંઘે બંધાવ્યાનો નિર્દેશ છે. તે સમયે આ દેરાસ૨માં પાષાણની ૧૫ અને ધાતુની ૧૨ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે. અને મૂળનાયક પર સં. ૧૯૦૩નો લેખ છે. ઉપરાંત, તે સમયે વહીવટદાર તરીકે શેઠ બબાભાઈ ધોળીદાસના નામનો ઉલ્લેખ છે.
સંભવ છે કે હઠીસિંહના દેરાસરના પ્રતિષ્ઠા મહોત્સવ સમયે અંજન શલાકા થયેલી પ્રતિમા મૂળનાયક તરીકે આ દેરાસરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હોય.
થાય છે.
આ દેરાસર મહાવીર જન્મના દિવસે પાંચ મહાવીરના દર્શન કરવાની પરંપરા પૈકીમાંનું એક દેરાસર છે. તેથી ઝવેરીપોળનું મહાવીર સ્વામીનું આ દેરાસર રાજનગરના શ્રાવકોમાં ખૂબ જ પ્રસિદ્ધ થયેલું છે.
આ દેરાસરનો એક વાર જીર્ણોદ્ધાર થયો હોવાનો ઉલ્લેખ સ્થાનિક માહિતી દ્વારા પ્રાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org