SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૮૧ રંગમંડપમાં ડાબી બાજુના અન્ય એક દ્વારમાંથી શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં જઈ શકાય છે જે લક્ષ્મીબાઈના જિનાલય તરીકે પ્રચલિત છે. રંગમંડપ મધ્યમ કદનો છે. હાથી પર બિરાજમાન માણિભદ્રવીરની આરસમૂર્તિ એક બાજોઠ પર પરોણાગત રાખેલ છે. ત્રણ ગર્ભદ્વાર છે. ર૭” ઊંચી મૂળનાયક શ્રી ધર્મનાથની પ્રતિમા સાદી કોતરણીવાળી આરસની છત્રીમાં બિરાજે છે. પ્રતિમા પર સં. ૧૯૦૩નો લેખ છે. અક્ષર ઘસાયેલ હોવાથી લેખ સંપૂર્ણ વાંચી શકાતો નથી. લેખમાં હઠીસીંગના નામનો ઉલ્લેખ છે. સંવત ૧૯૦૩ પ્રવર્તમાને માઘ માસે કૃષ્ણ પક્ષ પંચમી ભૂગૌ અહમદાબાદ વાસ્તવ્ય ઓસવાલ જ્ઞાતીય .......... શ્રી ધર્મનાથ બિંબ ..... જમણે ગભારે શ્રી શાંતિનાથ તથા ડાબે ગભારે શ્રી સુમતિનાથ છે. કુલ ચૌદ આરસપ્રતિમા તથા યક્ષ-યક્ષિણીની બે આરસમૂર્તિ છે. દરેક આરસપ્રતિમા પર સં૧૯૦૩નો લેખ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગોપીપુરા વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે, થયેલો છે. કુલ ચૌદ આરસપ્રતિમા તથા સત્તાવીસ ધાતુપ્રતિમા હતી અને જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં ડાહ્યાભાઈ વકીલના ખાંચામાં વિદ્યમાન ચાર જિનાલયોની યાદીમાં ધર્મનાથના બે જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૮૪માં સુરતની જેન ડિરેક્ટરીમાં પણ વકીલના ખાંચામાં આ જિનાલયનો ઉલ્લેખ છે. બંધાવનાર તરીકે ડાહીબાઈનું નામ દર્શાવેલું છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં ગોપીપુરા, વકીલના ખાંચામાં જ આ જિનાલય વિદ્યમાન હોવાની નોંધ છે. ડાહીબાઈના પિતાશ્રીએ જિનાલય બંધાવ્યાની નોંધ છે. વહીવટ શેઠ મોતીચંદ ગુલાબચંદ ઝવેરી હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં ડાહીડોશીએ શાંતિનાથનું જિનાલય બંધાવ્યાની નોંધ છે. આજે જિનાલયમાં જેમણે ગભારે શ્રી શાંતિનાથ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ ચૌદ આરસપ્રતિમા, એકત્રીસ ધાતુપ્રતિમા તથા એક સ્ફટિકપ્રતિમા હતી. સં. ૧૯૦૩ લગભગમાં ડાહીબાઈએ જિનાલય બંધાવ્યું હોવાનો તથા મૂળનાયક પ્રતિમા પર સં. ૧૯૦૩નો લેખ હોવાની નોંધ છે. સં. ૨૦૧૦માં વહીવટ શેઠ મોતીચંદ ગુલાબચંદ ઝવેરી હસ્તક હતો તથા જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત ડાહીબાઈના દેરાસર તરીકે પ્રસિદ્ધ હોવાની વિશેષ નોંધ પણ કરવામાં આવી હતી. સં. ૧૯૦૩ના માહા વદિ ૫ ગુરુવારે અમદાવાદવાલા ઓસવાલ જ્ઞાતિના ખુશાલચંદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy