SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો આજે આ જિનાલયમાં ઉપર્યુક્ત ચારે પ્રતિમા અલગ અલગ ગભારામાં મૂળનાયક તરીકે બિરાજમાન છે. સં. ૧૮૮૧માં ઉત્તમવિજયકૃત શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામના છંદમાં સૂરજમંડન પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ છે. સં. ૧૯૫૬માં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની પુનઃ પ્રતિષ્ઠા શ્રી મોહનલાલજી મહારાજની નિશ્રામાં જીવણચંદ ધરમચંદ તથા બાલુભાઈ મૂલચંદ દ્વારા કરવામાં આવી હતી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો નથી. આજે આ જિનાલયમાં પ્રતિષ્ઠિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. તે સમયે જિનાલય ધાબાબંધી હતું. કુલ અગિયાર આરસપ્રતિમા તથા સાડત્રીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં ડાહ્યાભાઈ વકીલના ખાંચામાં ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ છે તથા ભોયરામાં સૂર્યમંડનની મોટી અને અદ્ભુત પ્રતિમા હોવાની નોંધ છે. આ વિસ્તારમાં જ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય હોવાની નોંધ છે. સં. ૧૯૮૪માં વકીલના ખાંચામાં ધર્મનાથનું જિનાલય તથા શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય – એમ બન્ને જિનાલયનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં વકીલના ખાંચામાં દર્શાવેલ આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે ‘દેવસુર ગચ્છનો વહીવટ છે. આ દેરાસરમાં માળ પર દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ભગવાન છે, એમાં ભોંયરૂ છે જેમાં આચાર્યોની મૂર્તિઓ અને પગલાંઓ છે. આ દેરાસમાં જૂના વખતની દેવસુર ગચ્છના શ્રી પૂજની ગાદી છે. આ દેરાસરના ભોંયરામાં સૂરજમંડન શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ છે જે અલૌકિક અને પ્રભાવિક છે. આ દેરાસરજીના પાછલા ભાગમાં એક મંદિર છે જે જૂના વખતનું હોય એમ લાગે છે. આ દેરાસરજી હાથીવાળા દેરાસર તરીકે ઓળખાય છે.” ઉપરાંત આ જ વિસ્તારમાં શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ છે જેનો વહીવટ ધર્મનાથના જિનાલયના વહીવટદારો હસ્તક હતો. સં. ૧૯૫૬માં મોહનલાલજી મહારાજની નિશ્રામાં જીવણચંદ ધરમચંદ તથા બાલુભાઈ મૂલચંદ દ્વારા શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની પુનઃ પ્રતિષ્ઠા થઈ હોવાની નોંધ સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં કરવામાં આવી છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં હાથીવાળું દેરાસર એ સરનામા સાથે ધર્મનાથના આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. તે સમયે કુલ પચીસ આરસપ્રતિમા, પંદર ધાતુપ્રતિમા, બે ગુરુમૂર્તિ તથા રજત ચોવીસી પટ હતા. મૂળનાયક પર સં. ૧૬૬૪નો લેખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy