SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૭૫ નિશ્રામાં થયેલ છે. ભોંયરામાં પણ વિશાળ રંગમંડપ છે. ચક્રેશ્વરીદેવી, પદ્માવતીદેવી તથા વિજયદેવસૂરિની આરસની મૂર્તિઓના ગોખ છે. ગભારો નાનો છે. ૬૫” ઊંચી મૂળનાયક શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની ભવ્ય, મનોહર, અલૌકિક અને ચમત્કારીક પ્રતિમા પર સં. ૧૬૭૮નો લેખ છે જે નીચે મુજબ છે : સંવત ૧૬૭૮ વર્ષે કાર્તિક વદિ ૫ દિને ગુરુવારે પુનર્વસુ નક્ષત્ર શ્રી સુરત બંદરે પાતસાહી સલીમ શાહી વિજયમાન રાજયે ... પ્રાગવાટ જ્ઞાતિય લઘુશાખાયાં મહુખા (મહંત ખોશા ?) ભાર્યા કોડમદે સત કલશા ભાર્યા ............. જિનશાસનપ્રભાવક રાહ શ્રી નાથા ભાર્યા ગંગા સુત સા. સુરજી સા. માણિકજી પૌત્ર સાથીદાસ પ્રમુખ કુટુંબે ....... નવફણા પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત સુવિહિત માર્ગ પ્રકાશક ભટ્ટારક શ્રી ૫ આણંદવિમલસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી ૫ વિજયદાનસૂરિ પટ્ટ પ્રકાશક પાતશાહી શ્રી અકબર મહારાજ પ્રદત્ત પણમાસિકજીવાભય સકલ દેશ જીજીઆકર નિવારણ સંલબ્ધમાન શ્રી શત્રુંજયાદિ કરણાવતંસહ .......... સત પ્રભાવક શ્રી ૫ હિરવિજયસૂરીશ્વર પટ્ટ ભાસ્કર સમાન પાતસાહી શ્રી અકબર દત્ત બહુમાન સાહી શ્રી અકબરલબ્ધજય ભટ્ટારક શ્રી ૫ વિજયસેનસૂરીશ્વર પટ્ટોદયગિરિ ભાસ્કર સમાન સુવિહિત માર્ગદીપક જસ ભાલવ બહુમાન પાતસાહ શ્રી સલીમ સાહી દત્ત ............. ઉપાધ્યાય શ્રી પ રત્નચંદ્રગણિભિઃ' ભોંયરાના જિનાલયના જીર્ણોદ્ધાર વખતે શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની આરસપ્રતિમાની બરોબર પાછળ એક ગોખમાંથી વેલુના શ્રી સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી જે હાલ ગભારાની પાછળ મૂળનાયકની બરાબર પાછળ ગોખમાં બિરાજમાન છે. અહીં મૂળનાયકની એક આરસપ્રતિમા તથા એક વેલની પ્રતિમા છે. કુલ એકસો બેતાળીસ ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખી છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૬૮માં ઉપા. વિનયવિજયકૃત સુરત ચૈત્યપરિપાટીમાં ધર્મનાથ તથા સૂરજમંડન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ધર્મ એ ધર્મ એ જિર્ણોસર વંદિઈ એ, આપઈ એ આપઈ ધર્મ ઉદાર કે, પન્નરમો પરમેશ્વરૂ એ, વિશ્વ એ વિશ્વતણો આધાર છે, ધર્મ જિસેસર વંદિઇ એ. વિંદિઇ ધર્મણિંદ જગગુરૂ નયર સૂરતિમંડણો, ભવ કષ્ટવારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડણો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy