________________
સુરતનાં જિનાલયો
૭૩
સુભાષચોક, ગોપીપુરા
૨૨. આદેશ્વર (સં. ૧૯૨૫) ગોપીપુરા, સુભાષચોક મેઇન રોડ પર જનતા સ્ટોર્સની ગલીમાં શ્રી શીતલનાથ - શ્રી સહસ્રફણા પાર્શ્વનાથના જિનાલયની બાજુમાં શ્રી આદેશ્વરનું ધાબાબંધી જિનાલય આવેલું છે. લાલીના દેરાસર તરીકે આ જિનાલય પ્રસિદ્ધ છે.
નાના લાંબા ઓટલા પર બે પ્રવેશદ્વાર છે. એક મોટી રૂમમાં એક બાજુ શિખરબંધી આરસની છત્રી-દેરીમાં ૧૫” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા બિરાજે છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. અહીં શત્રુંજય, પાવાપુરી, કેસરિયાજી, સમોવસરણ તથા શંખેશ્વર પાર્શ્વનાથના ફોટા ફ્રેઇમ કરેલા છે. જમણી બાજુ ચક્રેશ્વરીદેવીનો ગોખ છે. મૂળનાયકની ડાબી બાજુની પ્રતિમા પર “સં. ૧૯૨૧ .. માઘ માસે શુક્લ પક્ષે ............– મુજબનું લખાણ તથા જમણી બાજુની પ્રતિમા પર સં. ૧૯૨૧નો લેખ છે.
ઐતિહાસિક સંદર્ભ હાલ આ જિનાલયની પાસે આવેલ શ્રી શીતલનાથના જિનાલય વિશે સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ધણી દેરાસરની હકીકત લખવા જતાં ના કહે છે – મુજબની નોંધ છે. સંભવ છે કે આ જિનાલયની નોંધ પણ ન કરવા દીધી હોય અથવા સરતચૂકથી રહી ગઈ હોય.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સુરતનાં જિનાલયોની યાદીમાં પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા પાસે – વિસ્તારમાં લાલીનું દેરાસર તરીકે આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
- સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં પણ આ જિનાલય ઉપર્યુક્ત વિસ્તારમાં દર્શાવ્યું છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ નગીનચંદ કપૂરચંદ ઝવેરી હસ્તક હતો. - સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં ગોપીપુરા વિસ્તારમાં લાલીના દેરાસર તરીકે આ જિનાલયનો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા હતી જે આજે પણ યથાવત્ છે. સં. ૧૯૧૦માં હરકોરબહેને આ જિનાલય બંધાવ્યું હોવાનો તથા વહીવટ કબલીબહેન હસ્તક હોવાનો ઉલ્લેખ હતો. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની યાદીમાં પણ પ્રેમચંદ ધર્મશાળા પાસે ગલીમાં શ્રી આદેશ્વરનું – લાલીનું જિનાલય વિદ્યમાન હોવાની નોંધ છે. જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૨૫માં થઈ હતી. મૂળનાયકની આજુબાજુની પ્રતિમા પર સં૧૯૨૧ માહા સુદ ૭ ગુરુવારનો લેખ હોવાની નોંધ હતી. વહીવટ શેઠ ચંદુલાલ બાપુલાલ હસ્તક હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org