SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો સં. ૧૮૨૮માં ઉપરના મજલે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન હતી. આ અભુત પ્રતિમા તેમજ અન્ય ત્રણ પ્રતિમા અનંતનાથ, ધર્મનાથ તથા પદ્માવતીમાતા મુંબઈમાં ગુલાલવાડી મધ્યે આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજે છે. તથા હાલ આ જિનાલયમાં ઉપરના માળે મૂળનાયક તરીકે શ્રી પોસાયા પાર્શ્વનાથની પ્રતિમા છે જેના પર સં. ૧૯૦૩નો લેખ છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયો છે. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં તથા સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૮૯માં જિનાલયનો વહીવટ શેઠ પાનાચંદ ભગુભાઈ હસ્તક હતો. ભોંયરામાં જિનદત્તસૂરિની પ્રતિમા હતી તથા બે કાઉસ્સગ્ગ મૂર્તિઓ હોવાની નોંધ છે. સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં આ જિનાલય સબંધી નીચે મુજબ નોંધ છે : “સંત ૧૮૨૭ વૈશાખ શુદિ ૧૨ દિને આદિ ગોત્રીય શાહ નેમિદાસના પુત્ર ભાઈદાસે કરાવેલ ત્રણ ભૂમિના પ્રાસાદમાં શીતલનાથ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને ગોડી પાર્શ્વનાથ આદિ ૧૮૧ બિબોની પ્રતિષ્ઠા જિનલાભસૂરિએ કરી તથા સં. ૧૮૨૮ વૈશાખ શુદિ ૧૨ને દિને ત્યાં જ દેવગૃહમાં શ્રી મહાવીર આદિ ૮૨ બિબોની પ્રતિષ્ઠા કરી. ............ સં. ૧૮૨૭ વૈ શુ. ૧૨ ગુરુવારે ગોડી પાર્શ્વની, વીર બિંબની, જીવિત મૂર્તિ પદ્મનાભ (શ્રેણિકનો જીવ ભવિષ્યમાં થનાર તીર્થકર)ની પણ તેમણે પ્રતિષ્ઠા કરી. મૂલનાયક વીર બિંબ અને અન્ય ૨૩ જિનનાં બિંબ. અજિતજિન આદિ એક ચૈત્યમાં સ્થાપિત કર્યા અને તે સૂરિના ઉપદેશથી શ્રાવક ભાઈદાસે સર્વ કર્યું. ભૂમિગૃહમાં સહસ્ત્રફણા પાર્શ્વની સ્થાપના કરી. અતીત જિનમાંથી કેવળજ્ઞાની પ્રથમ જિનના નૂતનબિંબની. અનાગત જિનમાંથી પદ્મનાભની જીવિતમૂર્તિની, વિહરમાન જિનમાંથી સીમંધરસ્વામીની મૂર્તિની સ્થાપના ભાઈદાસે કરી અને સં. ૧૮૨૮ વૈ. શુ. ૧૨ બૃહસ્પતિવારે જિનલાભસૂરિએ પ્રતિષ્ઠા કરી.' સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ધાબાબંધી જિનાલય તરીકે ઉલ્લેખ થયો છે. કુલ બત્રીસ આરસપ્રતિમા તથા એકાવન ધાતુપ્રતિમા હતી. વહીવટ શેઠ ફકીરચંદ પાનાચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયનો વહીવટ શ્રી નેમચંદ પાનાચંદ ભગુભાઈ હસ્તક હોવાની નોંધ છે. આજે જિનાલયમાં કુલ ચાળીસ આરસપ્રતિમા તથા છવ્વીસ ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી હિતેશભાઈ તલકચંદ ઝવેરી, શ્રી નવીનચંદ્ર નેમચંદ ઝવેરી તથા શ્રી હેમેન્દ્રભાઈ ફકીરભાઈ ઝવેરી હસ્તક છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૮૨૭નો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy