________________
સુરતનાં જિનાલયો
૭૧
ચિત્ય કરાવ્યું રે સુન્દર શોભતું રે, મન ધરી અધિક ઉલ્લાસ, શીતલ પ્રભુનો બિંબ ભરાવિયો રે, સહસફણા વલિ પાસ. ભ. ૮ વરસ અઢારે સત્તાવીસમેં રે, માધવ માસ મઝાર, ઉજવલ દ્વાદશી દિવસે થાપીયારે; બિંબ અનેક ઉદાર. ભ. ૯ એકસો કયાંસી સહુ મેલું થયા રે, બિમ્બાદિક સુવિચાર, કીધ પ્રતિષ્ઠા તે દિન તેહની રે, વિધિપૂર્વક મનધાર. ભ. ૧૦ શ્રી જિનલાભસૂરીશ્વર દીપતા રે, શ્રી ખરતરગચ્છ ભાણ,
તાસ પસાય મેં શીતલ જિન થુમ્યા રે, વિબુધ ક્ષમાકલ્યાણ. ભ. ૧૧ ઉપર્યુક્ત સ્તવનોમાં સં૧૮૨૭-૨૮ દરમ્યાન આ જિનાલયનાં જિનબિંબોની પ્રતિષ્ઠા ભાઈદાસે શ્રી જિનલાભસૂરિની નિશ્રામાં કરાવી તે સ્પષ્ટ થાય છે.
ઉપરાંત અન્ય સ્તવનોમાં પણ આ જિનાલયનાં બિંબોની પ્રતિષ્ઠા અંગે ઉલ્લેખો મળે છે. જિનલાભસૂરિકૃત શ્રી વીરજિનસ્તવનમાં નીચે મુજબની પંક્તિઓમાં તે સમયની પ્રતિષ્ઠાને
ઉલ્લેખ છે :
નૂતનબિંબ શ્રી વીરનો ઠવિયું ચૈત્ય વિશાલ,
શ્રી જિનલાભ સુરિન્દવર પ્રતિષ્ઠિત ઉજમાલ. શ્રી જિનલાભસૂરિ રચિત સહસ્રફણા પાર્શ્વજિન સ્તવનમાં ભોંયરામાં બિરાજમાન સહસ્ત્રફણા પાર્શ્વનાથ અંગેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ભૂમિગ્રહમેં સહસફણા પારસનાથ પ્રગટ્ટ,
તસ ગુણ કિંચિત્ વર્ણવું જસ નામે ગહગટ્ટ. તે ઉપરાંત અનાગત ચોવીસી શ્રી પદ્મનાભ જિનસ્તવનમાં પદ્મનાભના બિબની પ્રતિષ્ઠા જિનેલાભસૂરિએ કર્યાનો ઉલ્લેખ છે :
અનાગત ચૌવીસી થયે શ્રી પદ્મનાભ જિનરાજ, જીવિત મૂરતિ બિમ્બવર ભવિષ્યતિ સિરનોં તાજ. ૧ શ્રી જિનલાભ સૂરીશ્વરે પ્રતિષ્ઠિત શુભ દિન,
પઢમ તીર્થકર જે થયે, તસ પઢિમા નહીં ભિન્ન. ૨ તે જ પ્રમાણે સીમંધરમૂર્તિ સ્થાપિત સ્તવનમાં સીમંધરસ્વામીના બિંબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
| શ્રી જિનલાભસૂરીશ્વરે પ્રતિષ્ઠિત હો સીમધર બિમ્બ,
નૂતન કલ્પતરુ ફલ્ય તત્વ સમકિત હો સલમાનું અમ્બ. ૧૨ શ્રી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org