________________
૬૮
સુરતનાં જિનાલયો
પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા છે. પદ્માવતીદેવી તેમનાં ચરણમાં છે. ધરણેન્દ્ર સહગ્ન નાગરૂપે પ્રભુને છત્ર ધરે છે. મેઘમાળી અપરાધની ક્ષમા માગતા પ્રભુને નમસ્કાર કરતા પદ્માવતીનાં ચરણમાં છે. પ્રતિમાજી કમળનાં ફૂલ ઉપર બનેલો છે. તેમની બન્ને બાજુ પરિકરમાં પાંચ-પાંચ નાની પ્રતિમાઓ છે જે પ્રભુના દશે ગણધરોની છે. પ્રતિમા પર નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે :
// સં. ૧૮૨૭ શાકે ૧૬૯૩ પ્રવર્તમાને વૈશાખ સુદિ દ્વાદશી તિર્થી ગુરુવારે ઉસવાલ જ્ઞાતિય વૃદ્ધશાખાયા ................ પ્રતિષ્ઠિત વ શ્રી વૃદ્ધત્નરતરગચ્છ જંગમ યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનચંદ્રસૂરિ તત્પરે ભ. શ્રી જિનસાગરસૂરિઃ તત્પટે ભ. શ્રી જિનભક્તિસૂરિ તત્પટ્ટાલંકાર જંગમ યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનલાભસૂરિભિઃ || શ્રી સૂરિત બિંદરે //
જમણે ગભારે સુપાર્શ્વનાથ અને ડાબે ગભારે પાર્શ્વનાથ છે. કુલ અગિયાર આરસપ્રતિમા પૈકી ત્રણ કસોટીની પ્રતિમા છે. ચૌદ ધાતુપ્રતિમા છે. ધરણેન્દ્રદેવ તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૮૨૭ના વૈશાખ સુદ ૧૦ને દિને સુરત નગરે ગોપીપુરા મધ્ય મૂળનાયક શ્રી શીતલનાથની પ્રતિમા તથા ભોંયરામાં ૮૯”ના મહાપ્રભાવક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સુરતના વિશા ઓસવાલ જ્ઞાતિના શ્રેષ્ઠીવર્ય શ્રી ભાઈદાસ નેમિદાસે શ્રી જિનલાભસૂરિની નિશ્રામાં અતિ ઉલ્લાસપૂર્વક કરાવીને એક પૂર્ણ ચૈત્યની સ્થાપના કરાવી.
આ જિનાલયનું વર્ણન શ્રી જિનલાભસૂરિ રચિત શીતલ જિન ચૈત્ય વર્ણનમાં ખૂબ જ વિગતવાર આવે છે. ઐતિહાસિક દષ્ટિએ આ સ્તવન ખૂબ જ ઉપયોગી હોવાને કારણે અક્ષરશઃ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
શ્રી શિતળ જિન ચૈત્ય વર્ણન સૂરતિ બંદિરમેં ભલા ખરતર ગચ્છના ચૈત્ય, નાહાવટ હનુમંત પોલમેં અજિતનાથ આદિત્ય. ૧ ગોપીપુરાને મધ્ય શુભ શ્રી શીતળ જિન ચૈત્ય, હય ત્રિક અન્ય તીર્થ એક ચૈત્યમેં પૃથક પૃથમ નમું નિત્ય.૨
રાગ-ધનાશ્રી સ્તવિયા શ્રી જિનરાજ ભાવે રે ભાવે રે મૂળનાયક શીતલ જિનપતિ. શ્રી ગૌડીપ્રભુ પાસ સ્થાપન રે સ્થાપન રે વીર પ્રભુ ઠવિયા શુભમતિ રે ૧ ચૌવીસ જિનના બિમ્બ ઠાવણ રે ઠાવણ રે પ્રતિષ્ઠિત શુભ દિન વારૂ રે ૨ અતીત ચૌવીસેમેં એક જિનપતિ રે જિનપતિ રે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org