SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૬૭ લગભગ ૩૨ વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર કરાવી શેઠ શ્રી તલકચંદ મોતીચંદ ઝવેરી તથા શેઠ નેમચંદ પાનાભાઈએ આરસનું શિખરબંધી જિનાલય તૈયાર કરાવ્યું અને શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમા સિવાય અન્ય સર્વ જિનબિંબોની પુનઃ પ્રતિષ્ઠા શ્રી મહિમાપ્રભ સાગરજીની નિશ્રામાં કરવામાં આવી. તે સમયે આબુ-દેલવાડા-રાણકપુરના દેહરાઓ જેવી કલાકારીગરીયુક્ત કોતરણી કરવામાં આવી હતી જે આજે પણ છે. જિનાલય પાસે ગુરુમંદિર છે જેમાં કુલ ત્રણ ગુરુમૂર્તિ અને પગલાંની બે જોડ છે. મધ્ય શ્રી જિનદત્તસૂરિની ગુરુમૂર્તિ, જમણી બાજુ શ્રી જિનલાભસૂરિનાં પગલાં તથા ડાબી બાજુ શ્રી જિનચંદ્રસૂરિની મૂર્તિ અને તેઓના આરસનાં પગલાંની એક જોડ છે. શૃંગારચોકીમાં છત મળે પદ્માવતીદેવી અને આજુબાજુ હાથી, મોર, સર્પ તથા કલ્પવૃક્ષના પાનની કલાત્મક કૃતિઓ છે. ત્રણ પ્રવેશદ્વાર પૈકી મુખ્ય દ્વારેથી અષ્ટકોણાકાર રંગમંડપમાં પ્રવેશતાં છત પર અંબિકાદેવીની સોનેરી રંગકામયુક્ત કૃતિ છે. અહીં મોટા ઘુમ્મટમાંની હંસ, ગજ, કમળ, ૨૪ તીર્થકર, યક્ષ-યક્ષિણી અને કમલાકારની રચના આબુ-દેલવાડા-રાણકપુરનાં જિનાલયોનું સ્મરણ કરાવે છે. કુલ ચાર ગોખ પૈકી ડાબી બાજુ ગોખમાં બે ભૈરવજી છે. તેની બાજુમાં નીચે ભોંયરામાં જવાનાં પગથિયાં અને તેની બાજુમાં ઉપરના માળે જવાનાં પગથિયાં છે. પાસે ગોખમાં ત્રણ આરસપ્રતિમા છે. જમણી બાજુ ગોખમાં નાકોડા ભૈરધજી તથા અન્ય ગોખમાં ત્રણ આરસપ્રતિમા છે. કુલ ત્રણ ગર્ભદ્વાર છે. ગભારામાં ૨૧” ઊંચી શ્રી શીતલનાથની સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. કુલ અઢાર આરસપ્રતિમા તથા અગિયાર ધાતુપ્રતિમા તથા ધાતુનાં નાનાં પગલાંની એક જોડ છે. ઉપરનો માળ ઉપરના માળે ૧૫” ઊંચી મૂળનાયક શ્રી પોસાયા પાર્શ્વનાથની આરસપ્રતિમાના પરિકરમાં ચોવીસ તીર્થંકરોની પ્રતિમા છે. પ્રતિમા પર નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : સંવત ૧૯૦૩ શાકે ૧૭૬૮ માઘ માસે વદ પાંચમ ગુરુવાર ઓસવાલ શ્રી નેમીદાસ ..... શ્રી મહેન્દ્રસૂરિ ....... શ્રી શાંતિસાગરસૂરિ પ્રતિષ્ઠિત આ પ્રતિમાની અંજનશલાકા રાજનગરના હઠીસિંગના જિનાલયની પ્રતિષ્ઠા વેળાએ થઈ હોવાનો સંભવ છે. જમણે ગભારે શ્રી અજિતનાથ તથા ડાબે ગભારે શ્રી મહાવીરસ્વામી છે. કુલ અગિયાર આરસપ્રતિમા છે. ભોંયરું વિશાળ ભોંયરામાં ફણા વગર ૫૩” અને ફણા સાથે ૮૧” ઊંચી મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની અનન્ય, વિરલ, મનોહર, ચમત્કારિક પ્રતિમા છે. આ ભવ્ય પ્રતિમામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy