________________
સુરતનાં જિનાલયો
૬૫
સુરમણી સુરત રૂ શુભ, કાંમ કુંભ જમાવો રે, પુન્ય રતના ગરજીને પ્રતિમાને, ત્રિભુવન વંદન આવો રે શ્રી ૩ પુત્ર કલત્ર હય ગય રથ મંદીર, સુંદર ધર્મ સુદીવો રે, પ્રભુ મદ ભક્તિ શક્તિથી અધીકું લડીઇ, નરભવ પુન્ય
દીપાવો રે શ્રી ૪ શ્રી વિજયસોભાગ તપાગછે, સુગુરુનો સુપ્રભાવો રે, તશ શીશ પ્રેમવિજય સ્તવન કિધી, પરમાનંદ સુખ પાવો રેશ્રી ૫
કલશ શ્રી વાસુપૂજય જિદ્ર સાહિબે, થાપીયા જીન મંદિરે, રતનચંદ મન આણંદ, પુત્ર કલત્ર ધન પરીકરે, જિનબિંબ થાપક તવનકારક રવિ શશી લગેથીર રહો, પ્રેમવિજય કહે પ્રભુ પાયે, સકલ સંઘ મંગલ લહે
ઇતિ શ્રી વાસુપૂજ્ય જિનમહિમા વર્ણનો સ્તવન સંપૂર્ણ - સં. ૧૮૭૭માં સુરતમાં રચાયેલ દીપવિજયકૃત સોહમકુલ પટ્ટાવલી રાસમાં આ શ્રી વિજયલક્ષ્મી સૂરિએ સુરતમાં રતનચંદે કરાવેલા જિનાલયમાં વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરી હતી તેવી નોંધ કરી છે જે નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
સૂરત બંદિર દીપતો, સાહેલડીયાં, તિહાં રતનચંદ છે જેહ,
વાસુપૂજ્ય મહારાજની, સાહેલડીયાં, કીધી પ્રતિષ્ઠા તેહ. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મોટી પોળ વિસ્તારમાં આ જિનાલયનો ધાબાબંધી જિનાલય તરીકે ઉલ્લેખ છે. કુલ એકાણુ આરસપ્રતિમા તથા છત્રીસ ધાતુપ્રતિમા હતી અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં મોટી પોળમાં વાસુપૂજયસ્વામીનું મોટું જિનાલય હોવાની નોંધ છે. તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં તથા સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
‘ગોપીપુરા મોટી પોળમાં આવેલ વાસુપૂજ્ય સ્વામીના જિનાલયના બીજા માળના ભોંયરામાં જિનાલય છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ છે. ઉપરના માળે ચૌમુખજી છે. વચમાં શ્રી પાર્શ્વનાથ છે. બીજી બાજુ સમવસરણની રચના છે. પહેલા માળના ભોંયરામાંના લેખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org