________________
સુરતનાં જિનાલયો
ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૧૦માં શેઠ હીરાચંદ મંગળદાસે જિનાલય બંધાવ્યું હતું અને વહીવટ તારાબહેન બાલુભાઈ હસ્તક હતો. સં ૨૦૧૦માં સ્થિતિ સારી હતી. સમેતિશખરની રચના પ્રાચીન છે તેવી નોંધ પણ હતી.
સં. ૨૦૨૩માં આ ઘરદેરાસર મોટી પોળ, સંઘવીની પોળ વિસ્તારમાં દર્શાવેલું છે. સમેતશિખરના જિનાલય તરીકે પ્રસિદ્ધ આ જિનાલય-ઘરદેરાસર શેઠ હીરાચંદ મંગળદાસ રાજાએ સં. ૧૯૧૦માં બંધાવ્યાની નોંધ છે.
૫૩
આજે આ ઘરદેરાસરનો વહીવટ શ્રી સાકરચંદ મોતીચંદ ઝવેરી, શ્રી નિરંજનભાઈ મોતીચંદ ઝવેરી હસ્તક છે.
ટૂંકમાં આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૧૦ છે.
મોતી પોળ, ગોપીપુરા
૨૦. વાસુપૂજ્યસ્વામી (સં. ૧૯૧૦)
ગોપીપુરા, મોતી પોળમાં શ્રી વાસુપૂજ્યસ્વામીનું બે માળનું, શિખરબંધી ભવ્ય જિનાલય આવેલું છે. ભોંયરામાં મૂળનાયક શ્રી આદેશ્વર છે.
પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૨૩માં મહા સુદ છઠના રોજ શ્રી વિજયકુમુદચંદ્રસૂરિની નિશ્રામાં થયેલ છે. જિનાલયની સામે નાના મકાનમાં શ્રી જિનદત્તસૂરિનાં આરસનાં પગલાંની એક જોડ છે. તે દાદાવાડી તરીકે ઓળખાય છે.
જિનાલયમાં પ્રવેશવા માટે બન્ને બાજુ પગથિયાંની રચના છે. બન્ને પ્રવેશદ્વારે આરસનાં તોરણો પર લક્ષ્મીદેવીનું શિલ્પ છે. ત્રણ કાષ્ઠના પ્રવેશદ્વાર છે.
રંગમંડપ વિશાળ છે. ઘુમ્મટમાં રંગકામ થયેલ છે. શ્રી વિજયસેનસૂરીશ્વરજીની આરસની ગુરુમૂર્તિનો ગોખ તથા આઠ આરસપ્રતિમાના ગોખ છે. સમવસરણયુક્ત બે ચૌમુખજી છે. બે બાજુ દેવકુલિકા છે. બન્ને દેવકુલિકામાં નવ નવ આરસપ્રતિમા છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૨૯” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા છે. જમણે ગભારે ચંદ્રપ્રભુસ્વામી તથા ડાબા ગભારે મુનિસુવ્રતસ્વામી છે.
ભોંયરું વિશાળ છે. અહીં પણ રંગમંડપમાં બે દેવકુલિકા છે જેમાં નવ-નવ આરસપ્રતિમા છે. ચક્રેશ્વરીદેવી, પદ્માવતીદેવી, કુમારયક્ષ તથા ચંડાદેવીની આરસમૂર્તિઓના ગોખ છે. તથા અન્ય એક દેવકુલિકામાં માણિભદ્રવીરની મૂર્તિ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૭૧” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા નયનરમ્ય છે. જમણા ગભારે શાંતિનાથ તથા ડાબા ગભારે અજિતનાથ છે. મૂળનાયક ૫૨ સં ૧૮૪૩નો લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org