________________
પર
સુરતનાં જિનાલયો અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં. ૧૯૬૩ના સમયનું છે. પ્રતિમા સંત ૧૬૮૩ના સમયની છે.
મોતી પોળ, ગોપીપુરા
૧૯. પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૧૦) ગોપીપુરામાં મોતી પોળમાં શ્રી બાલુભાઈ હીરાચંદ મંગળદાસ ઝવેરીનું (રાજાનું) ઘરદેરાસર આવેલું છે. હાલ સ્થિતિ અતિપુર્ણ છે.
મુલાકાત દરમ્યાન જીર્ણ સમેતશિખરની રચના નજરે નિહાળી હતી. મકાન ખંડેર જેવું થઈ ગયું છે. પૂર્વે જાહોજલાલી ઘણી હશે તેવું મકાનની છત પરની કોતરણી જોતાં લાગે છે. હાલ એક રૂમમાં મળે નાની દેરીમાં પ્રતિમા પધરાવેલ છે.
મૂળનાયક શ્રી પાર્શ્વનાથની ૩” ઊંચી શ્યામ આરસપ્રતિમા સહિત કુલ આઠ આરસપ્રતિમા તથા વીસ ધાતુપ્રતિમા છે.
હાલ ચંદ્રકાન્તભાઈ બાલુભાઈ હીરાચંદ રાજાના વંશના કોઈ હયાત ન હોવાથી વહીવટ શ્રી નિરંજનભાઈ મોતીચંદ ઝવેરી, મંગળાબહેન મોતીચંદ ઝવેરી તથા શ્રી સાકરચંદ મોતીચંદ ઝવેરી હસ્તક છે. ઘરદેરાસરના જીર્ણોદ્ધારની જરૂર છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મોટીપોળમાં આવેલ શ્રી પાર્શ્વનાથનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ આઠ આરસપ્રતિમા અને અઠાવીસ ધાતુપ્રતિમા હતી અને સ્થિતિ સારી હતી. જિનાલય બંધાવનાર તરીકે હીરાચંદ મંગળદાસનો ઉલ્લેખ છે.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં મોટી પોળ વિસ્તારમાં પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ છે.
ત્યારબાદ સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં પણ સુરતનાં જિનાલયોની યાદીમાં મોટી પોળમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ છે. બંધાવનાર તરીકે હીરાચંદ મંગળદાસના નામનો ઉલ્લેખ છે.
સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં પણ પાર્શ્વનાથનું આ જિનાલય બંધાવનાર તરીકે હીરાચંદ મંગળદાસના નામનો ઉલ્લેખ છે તથા સં. ૧૯૫૪માં પ્રતિષ્ઠા થયાની નોંધ છે. સંભવ છે તે સમયે જીર્ણોદ્ધાર થયો હોય.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ગોપીપુરા, હીરામંગલની વાડીમાં પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ છે. જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ આઠ આરસપ્રતિમા અને ચોવીસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org