________________
સુરતનાં જિનાલયો
૫૧
તેઓશ્રી હસ્તક જયારે જયારે દીક્ષા-વડી દીક્ષા વગેરેની ક્રિયા થતી હતી ત્યારે નાણ મંડાય તેમાં આ ચોમુખજી પધરાવતા હતા. અને શેઠશ્રી મંછુભાઈને વારંવાર ઉપદેશ આપતા હતા કે આ અમૂલ્ય પ્રતિમાઓને દેરાસર બંધાવી પ્રતિષ્ઠિત કરો.
તેઓના ઉપદેશની અસર થઈ ને શેઠ મંછુભાઈની ભાવના દેરાસર બંધાવવાની થઈ. પોતે ગોપીપુરામાં મોટી પોળ(જૂની સંઘવીની પોળ)ના નાકે પોતાના રહેવાના ઘરની સામેની મિલકતો ખરીદી. એ જગ્યાએ દેરાસર બંધાવવાનું નક્કી થયું, પરંતુ દેરાસર જોવાનું પોતાના ભાગ્યમાં નહીં હોય એટલે વિ. સં. ૧૯૬૧ના માગસર વદ ૧૧ના દિને તેઓશ્રી મુંબઈમાં સ્વર્ગવાસ પામ્યા. તે સમયે પરમોપકારી શાંતમૂર્તિ મુનિમહારાજ શ્રી ૧૦૦૮ શ્રી મોહનલાલજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. તેઓશ્રીએ ઘેર આવીને શેઠશ્રીને અંત સમયે ધર્મ સંભળાવ્યો હતો.
મરહૂમ શેઠ મંછુભાઈની ભાવનાનુસાર તેમનાં ધર્મપત્ની હીરાકુંવરબાઈ તથા ૬ સુપુત્રો - ઝવેરી નગીનભાઈ, ચુનીભાઈ, બાલુભાઈ, છગનભાઈ, મગનભાઈ તથા હીરાભાઈ વગેરે કુટુંબીઓએ દહેરાસર બંધાવવાનું કામ શરૂ કર્યું અને એક રમણીય જિનાલય બે વર્ષમાં પૂર્ણ બંધાઈ ગયું. વિ. સં. ૧૯૬૩ના જેઠ સુદ રને ગુરુવારના શુભ દિવસે શુભ મુહૂર્ત પ્રાતઃ સ્મરણીય, શાંતમૂર્તિ, બાલબ્રહ્મચારી પૂ. શ્રી ૧૦૦૮ શ્રી મોહનલાલજી મહારાજના પટ્ટધર તપાગચ્છીય પંન્યાસજી શ્રી હરખમુનિજીના શુભ હસ્તે આ ચાર રત્નની પ્રતિમાઓ તથા બીજા સાત પાષાણનાં બિંબો મળી અગિયાર પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ.
પ્રતિષ્ઠા નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિસ્નાત્ર આદિ ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર વગેરેની ક્રિયા કરાવવા માટે અમદાવાદ જૈન વિદ્યાશાળાવાળા સુશ્રાવક છોટાલાલ લલ્લુભાઈ ઝવેરી આવ્યા હતા. પ્રતિષ્ઠાના દિવસે શ્રી સકલસંઘનું સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું.
આ જિનાલયની પ્રતિષ્ઠા સં૧૯૬૩ના જેઠ સુદ રના રોજ મોહનલાલજીના શિષ્ય પં. શ્રી હરખમુનિજીની નિશ્રામાં થયાની નોંધ સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં મળે છે. વહીવટ શાહ ભાઈચંદ નગીનભાઈ હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ શેઠ મંછુભાઈ તલકચંદ ઝવેરીનું શ્રી સંભવનાથ જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી નીતિનભાઈ માનચંદ ઝવેરી, શ્રી દીપચંદ જીવણચંદ ઝવેરી, શ્રી નરેન્દ્રભાઈ ભાઈચંદ ઝવેરી તથા શ્રી દીપચંદ નાનાભાઈ ઝવેરી હસ્તક છે.
આ જિનાલયની પ્રતિમા ઘણી પ્રાચીન છે. સં૧૯૮૩માં આ પ્રતિમાની પ્રતિષ્ઠા થયાની નોંધ છે. જિનાલયની પ્રતિષ્ઠાના સંદર્ભમાં સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં વિજય સિદ્ધિસૂરીશ્વરજી મસા.નો ઉલ્લેખ છે અને પ્રતિષ્ઠા સં. ૧૯૬૨ દર્શાવવામાં આવ્યો છે. ઉપર જણાવેલી વિગતોના સંદર્ભમાં આ વિરોધાભાસ હોવાને કારણે વધુ સંશોધનની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org