________________
સુરતનાં જિનાલયો
૪૯
મૂલનાયક
શ્રી સંભવનાથ ઝવેરી છગનભાઈ મંછુભાઈ ઇત્યનેન પ્રતિષ્ઠિત મૂલનાયકની જમણી બાજુ શ્રી સંભવનાથ (સ્ફટિક) શેઠ ચુનીભાઈ મંછુભાઈ મૂલનાયકની ડાબી બાજુ શ્રી શ્રેયાંસનાથ (સ્ફટિક) શેઠ નગીનભાઈ મંછરામનાં ધર્મપત્ની નવલબાઈ મૂલનાયકથી જમણી બાજુ નીચે શ્રી સુમતિનાથ (સ્ફટિક) શેઠ છગનભાઈ મંછુરામનાં ધર્મપત્ની રૂક્ષ્મણીબાઈ મૂલનાયકથી ડાબી બાજુ નીચે શ્રી વાસુપૂજ્ય શેઠ બાલુભાઈ મંછુભાઈ મૂલનાયકથી જમણી બાજુના શ્રી મહાવીરસ્વામી શેઠ ચુનીલાલ મથુરામનાં ધર્મપત્ની કંકુબાઈ ત્રિગડામાં મૂલનાયક મૂલનાયકથી જમણી બાજુ શ્રી આદીશ્વર શેઠાણી હીરાકુંવરબાઈ મંછુરામ ઝવેરી મૂલનાયકથી ડાબી બાજુ - શ્રી આદીશ્વર
બાઈ દેવકોરની પુત્રી મધીબેન મૂલનાયકની ડાબી બાજુના શ્રી શાંતિનાથ શેઠ હીરાભાઈ મંછુભાઈ ત્રિગડામાં મૂલનાયક મૂલનાયકની જબા. શ્રી ચંદ્રપ્રભુ શેઠ નગીનભાઈ મંછુભાઈ મૂલનાયકની ડાબાદ શ્રી ગોડી પાર્શ્વનાથ શેઠ મગનભાઈ મંછુભાઈ કળશ તથા ધ્વજાદંડ
શેઠ પાનાચંદ ચુનીભાઈ મંછુભાઈ દુરિતાદેવી
શેઠ મોતીચંદ નગીનભાઈ મંછુભાઈ મૂળનાયક શ્રી સંભવનાથની સ્ફટિકપ્રતિમા ૯” ઊંચાઈ ધરાવે છે. કુલ ચાર સ્ફટિકપ્રતિમા, સાત આરસપ્રતિમા તથા સોળ ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં નગીનભાઈ મંછુભાઈના શ્રી સંભવનાથના જિનાલય તરીકે આ જિનાલયનો ઉલ્લેખ છે.
મંછુરામ તલકચંદ ઝવેરીએ શ્રી સંભવનાથનું જિનાલય બંધાવ્યાનો ઉલ્લેખ સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં મળે છે.
સં. ૧૯૮૯માં સુરત ચેત્યપરિપાટીમાં ગોપીપુરા, ઓસવાલ મહોલ્લાના નાકે વિસ્તારમાં સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ છે. શેઠ મંછુભાઈ તલકચંદના પુત્રોએ જિનાલય બંધાવ્યું અને શેઠ ઇંગનભાઈ મંછુભાઈ દ્વારા સં. ૧૯૬રના જેઠ સુદ રના રોજ શ્રી વિજયસિદ્ધિસૂરિ મ. સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી હોવાની નોંધ છે. મૂળનાયક ઉપરાંત અન્ય ત્રણ રત્નપ્રતિમા છે. જિનાલય રળિયામણું છે – તેવી નોંધ પણ છે. સં. ૧૯૮૯માં જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ મંછુભાઈ તલકચંદના પુત્રો કરતા હતા.
સં ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં શેઠ મંછુભાઈ તલકચંદના સુપુત્રોએ સંભવનાથનું જિનાલય બંધાવ્યાની નોંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org