SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ સુરતનાં જિનાલયો સાત ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસી પટ હોવાની નોંધ છે. જિનાલય બીજે માળ હતું. શેઠ માણેકચંદ ઝવેરચંદે સં૧૯૦૦માં આ ઘરદેરાસર બંધાવ્યાની નોંધ હતી. વહીવટ શેઠ નગીનદાસ ચૂનીલાલ હસ્તક હતો અને ઘરદેરાસરની સ્થિતિ સારી હતી. સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ ઘરદેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૪૩ના ફાગણ સુદ પાંચમના રોજ થઈ હોવાની નોંધ છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે. આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૪૩ આસપાસના સમયનું હોવાની સંભાવના છે. જો કે આ અંગે વિશેષ સંશોધનની જરૂર છે. ભણશાળી પોળ, ગોપીપુરા ૧૬. વિમલનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૬૩ પૂર્વે) ગોપીપુરા વિસ્તારની ભણશાળી પોળમાં ઘર નં. ૮/૧૫૮૪માં શ્રી હીરાભાઈ લલ્લુભાઈ ઝવેરી પરિવારનું શ્રી વિમલનાથનું ઘરદેરાસર આવેલું છે. ઘરદેરાસર બીજે માળ છે. પ” ઊંચી મૂળનાયક શ્રી વિમલનાથની ધાતુપ્રતિમા સહિત કુલ ચાર ધાતુપ્રતિમા તથા એક આરસપ્રતિમા કાષ્ટકોતરણીયુક્ત જીર્ણ કબાટ જેવા ગોખમાં બિરાજે છે. પ્રતિમાની પાછળની દીવાલે તાંબાનું પતરું જડેલું છે. કબાટ પર આજુબાજુ ફૂલવેલ તથા તીર્થ પ્રતિમા અને તેમની આજુબાજુ શ્રાવક-શ્રાવિકાનું ચિત્રકામ છે જે ઘણું ઝાંખું છે. સ્થંભો પર વાજિંત્ર સહિતના નારીઓનાં જીર્ણ થઈ ગયેલાં શિલ્પો છે. મૂળનાયક શ્રી વિમલનાથની ધાતુપ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : ‘વિ. સં. ૧૭૮૮ માઘ સુદ ૧૦ બુધવાર શ્રી શ્રીમાલ જ્ઞાતીય વીરદાસ મોહનદાસ .. સાગરગચ્છ ........... શ્રી વિમલનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતમ્” ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ભણશાળીની પોલમાં વિમલનાથના આ ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. એક આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા હતી. સં. ૧૮૦૦ લગભગમાં શેઠ હીરાલાલ લલ્લુભાઈના વડીલોએ આ ઘરદેરાસર બંધાવ્યાની નોંધ તથા મૂળનાયક પ્રતિમા પર સં. ૧૭૮૪નો લેખ હોવાની નોંધ છે. ઘરદેરાસર બીજે માળ હતું. વહીવટ શેઠ હીરાભાઈ લલ્લુભાઈ હસ્તક હતો અને સ્થિતિ સારી હતી. તે અગાઉ અન્ય ગ્રંથોમાં આ ઘરદેરાસરની નોંધ પ્રાપ્ત થતી નથી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભણસાલી પોળમાં શેઠ વજેચંદ સવાઈચંદના ઘરમાં એક આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. આ ઘરદેરાસર અને વિમલનાથનું ઘરદેરાસર એક હોવાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy