SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા ૧૫. આદેશ્વર (ઘરદેરાસર) (સં. ૧૯૪૩ આસપાસ) કાયસ્થ મહોલ્લામાં દિગંબરના જિનાલયની સામે શ્રી માણેકચંદ ઝવેરચંદ જરીવાળા પરિવારના મકાન નં. સી/૧૫૭૧,૭૨માં બીજે માળ શ્રી આદેશ્વરનું સુંદર કાષ્ઠ કોતરણીવાળું ઘરદેરાસર આવેલું છે. ઘરદેરાસરમાં બારી-બારણા તથા ફરતે દીવાલે નંદીશ્વરદ્વીપ, મોતીશાની ટૂંક, ચંપાપુરી, ચારૂપ, શત્રુંજય, સમેતશિખર, તારંગા, ગિરનાર, આબુ, રાજગૃહી, નાડુલાઈ, પાવાપુરી, કચ્છ, ભોંયણી, ભદ્રેશ્વર, ઇડર, જામનગરનું જિનાલય જેવા પટોનું સુંદર ચિત્રાંકન થયેલું છે. કલાત્મક કાષ્ઠ કોતરણીમાં રંગકામયુક્ત સિદ્ધચક્રની રચના સુંદર છે. - ૪૫ પ” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની ચોવીસીયુક્ત ધાતુપ્રતિમા છે. કુલ છ ધાતુપ્રતિમા છે જે રંગકામયુક્ત કોતરણીવાળી છત્રીમાં બિરાજે છે. છત્રીના સ્થંભો નીચે હાથીનાં શિલ્પો પર સુંદર મુખાકૃતિવાળા શ્રેષ્ઠી છે. સિંહાસનની પાળી પર અષ્ટમંગલ તથા ચૌદ સ્વપ્નો કંડારેલાં છે. ત્રણ છત્રીઓમાં કળા કતા મોર, સિંહ, પોપટની આકૃતિ છે. ટોડલા પર વાજિંત્રો સહિત પૂતળીઓ શોભે છે. ચારે ખૂણા પર કળા કરતા મોરની કૃતિ છે. તેની મધ્યે વાજિંત્ર સહિત નરશિલ્પો છે. મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : ‘સંવત ૧૭૭૨ આ સુ ૩ આદિ કારિતા મૂળનાયક પ્રતિમાની ચોવીસી પરિકરમાં પાછળના ભાગમાં નીચે મુજબ લખાણ છે : ‘સં ૧૫૧૮ વર્ષે મહા સુદિ પ ગુરો શ્રી શ્રીમાલી જ્ઞાતીય સંઘવી કાન્હા ભાર્યા પરબતિ સુત સં૰ શ્રીવણ પ્રવરેણ સુત નજાર ........... સકલ કુટુંબયુતેન શ્રેયસે શ્રી ધર્મનાથાદિ ચતુર્વિંશતિ પટ્ટ આગમગચ્છે શ્રી હેમરત્નસુરી સુગુરૂપદેશેન કારિતઃ પ્રતિષ્ઠિતઃ । વિધિના શ્રી ધંધૂકાનગર વાસ્તવ્ય શ્રી ।' એટલે કે પ્રતિમા આદેશ્વરની છે પરંતુ ચોવીસી પરિકર ધર્મનાથનું છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભણસાળી પોળ, ગોપીપુરામાં ઝવેરચંદ અમીચંદના ઘરદેરાસરમાં સાત ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. Jain Education International સં. ૧૯૮૯માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં કાચ મહોલ્લામાં શા માણેકચંદ ઝવેરચંદને ત્યાં આ ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ભણસાલી પોળમાં દર્શાવેલ આ ઘરદેરાસરમાં કુલ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy