SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ સુરતનાં જિનાલયો પંચતીર્થી ધાતુપ્રતિમા સહિત કુલ દસ ધાતુપ્રતિમા, બે રજતપ્રતિમા તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે. પદ્માવતીદેવીની મૂર્તિને વાસક્ષેપ પૂજા થાય છે. મૂળનાયકની આજુબાજુ બે મોટી સ્ફટિકપ્રતિમા છે. મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે : “સંવત ૧૫૮૪ જેઠ સુદિ ૧૩ ....રૂપા પુત્ર દેવા ભાર્યા ચંદા પુત્ર સા હીમરાજેન ભાર્યા સંપુરાઈ પુત્ર કાલા ગોરા સહિતેન સુશ્રેય સુખાર્થ શ્રી આદિનાથ બિંબ કારિત ખરતરગચ્છ શ્રી જિનમાણિજ્યસૂરિભિઃ ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં આ ઘરદેરાસરનો ઉલ્લેખ ગોપીપુરા વિસ્તારમાં સંઘવીના ઘરદેરાસર તરીકે થયેલો છે. કુલ સાત ધાતુપ્રતિમા તથા બે સ્ફટિકપ્રતિમા હતી. સં. ૧૯૮૯માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં મોટો રસ્તો વિસ્તારમાં શા. ખીમચંદ સરૂપચંદને ત્યાં – એ મુજબ આ ઘરદેરાસરનો ઉલ્લેખ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસર કાયસ્થ મહોલ્લામાં દર્શાવવામાં આવ્યું છે. કુલ બાર ધાતુપ્રતિમા તથા બે સ્ફટિકપ્રતિમા હતી. ખીમચંદ સરૂપચંદે બંધાવ્યાની નોંધ હતી. ઘરદેરાસર ત્રીજે માળ હોવાનું દર્શાવ્યું હતું અને વહીવટ ચીમનલાલ ખીમચંદ હસ્તક હતો. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૫૮૪નો લેખ હોવાનો ઉલ્લેખ હતો તથા ઘરદેરાસરની સ્થિતિ સારી દર્શાવેલી હતી. સંઘવી ઝવેરચંદ ફત્તેચંદ કીકાભાઈએ બંધાવેલ, ૨૫૦ વર્ષ પ્રાચીન આ ઘરદેરાસરની ચલપ્રતિષ્ઠા પૂ. પં. શ્રી ઉત્તમવિજયગણિ મહારાજે કરાવેલ છે. ઘરદેરાસર બંધાવનારની આઠમી પેઢીએ એટલે કે વહીવટકર્તા શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવીએ દેરાસર તથા ઘરનો આમૂલચૂલ જીર્ણોદ્ધાર લોખંડનો ઉપયોગ કર્યા વિના કરાવેલ છે. પ્રાચીન દેરાસરની કાષ્ઠની તમામ કલાકારીગરી એના એ જ સ્વરૂપે પાછી લગાડી છે. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના રોજ પુનઃ પ્રતિષ્ઠા આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ. સા., આઇ શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ. સા., પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી મ. તથા સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રી આદિની નિશ્રામાં થયેલ છે – તે મુજબની નોંધ સં. ૨૦૧૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં કરવામાં આવી છે. સુરત તીર્થ વંદુ કર જોડ ગ્રંથમાં આ ઘરદેરાસરનો સમય સં. ૧૮૨૨ દર્શાવવામાં આવ્યો છે. અમારી માન્યતા પ્રમાણે પણ આ ઘરદેરાસરનો સમય સં૧૮૨૨ છે. તેમ છતાં આ અંગે વધુ સંશોધની જરૂર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy