________________
સુરતનાં જિનાલયો
માળી ફળિયા, ગોપીપુરા
૧૩. ગોડી પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૮૬)
ગોપીપુરાના માળી ફળિયામાં આવેલું શ્રી ગોડી પાર્શ્વનાથનું ઘરદેરાસર અમ૨ીબાઈના ઘરદેરાસર તરીકે પ્રચલિત છે. હાલ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ હોવાથી પ્રતિમા કાંકરિયાના શ્રી આદેશ્વરના જિનાલયમાં પરોણા રાખેલ છે.
મકાન પાડી સામરણયુક્ત નાનું, ત્રણ ગર્ભદ્વારવાળું જિનાલય બનાવવાની યોજના છે. મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથની ૧૧” ઊંચી આરસપ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
૪૩
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૮૬માં બાઈ ફૂલકોરે આ ઘરદેરાસર બંધાવ્યું હતું તેવી નોંધ સં૰ ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કરવામાં આવી છે. કુલ પાંચ ધાતુપ્રતિમા હતી અને ઘરદેરાસર ત્રીજા માળે હતું. વહીવટ ફકીરચંદ નેમચંદ હસ્તક હતો.
સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ ઘરદેરાસર સુરત વીશા ઓસવાલ જ્ઞાતિય ફૂલકોરબહેન ફકીરચંદ નેમચંદે બંધાવ્યાની નોંધ છે. ઉપરાંત જૂના ધાતુના મૂળનાયક ચોરાઈ જવાથી પાષાણની નવી પ્રતિમા શ્રી આનંદસાગરસૂરિ મ.સાની નિશ્રામાં અમરીબહેન, મંગળાબહેન તથા ઘેલાભાઈએ પધરાવેલ છે તેવી નોંધ છે. ત્યારથી આ ઘરદેરાસર અમરીબાઈના ઘરદેરાસર તરીકે ઓળખાય છે. પૂર્વે ઘરદેરાસર ત્રીજે માળ હતું. તે નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી નીચે લાવેલ છે.
આજે આ ઘરદેરાસરનો વહીવટ બાઈ ફૂલકોર ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી ઘેલાભાઈ અભેચંદ ઝવેરી, શ્રી પ્રદીપભાઈ હીરાચંદ શાહ, શ્રી ફુલચંદ ફકીરચંદ સ૨કા૨ તથા શ્રી પ્રવીણભાઈ આર ઝવેરી હસ્તક છે.
ટૂંકમાં આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૮૬નો છે.
કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા
૧૪. આદેશ્વર (ઘરદેરાસર) (સં. ૧૮૨૨)
Jain Education International
ગોપીપુરામાં કાયસ્થ મહોલ્લામાં શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી પરિવારના મકાનમાં ત્રીજે માળ શ્રી આદેશ્વરનું કાષ્ઠનું ઘરદેરાસર આવેલું છે. પૂ આ શ્રી વિજયચંદ્રોદયસૂરિ મસાનું આ જન્મસ્થળ છે.
રંગકામયુક્ત કોતરણવાળી કાષ્ઠની છત્રીમાં મૂળનાયક શ્રી આદેશ્વરની પ” ઊંચી
For Personal & Private Use Only
www.jainelibrary.org