________________
સુરતનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. કુલ નવ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં તથા સં ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ છે.
સં. ૧૯૫૪-૫૫માં શ્રીમદ્ મોહનલાલજી મહારાજની નિશ્રામાં ઘેલાભાઈ લાલભાઈ તથા તેમના પત્ની કંકુબહેને આ જિનાલયની પ્રતિષ્ઠા કરી હોવાની નોંધ સં. ૧૯૮૯માં સુરત ચૈિત્યપરિપાટીમાં મળે છે. ઉપરાંત જિનાલય કાંકરિયા ગામથી લાવવામાં આવ્યું હતું અને ત્યાંના પૈસાથી આ જિનાલય બંધાવાયું હોવાની નોંધ છે. વહીવટ શેઠ મૂળચંદ તલકચંદ હસ્તક હતો.
આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૫૫માં થઈ હોવાની નોંધ સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં મળે છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. કુલ ચૌદ આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૫૦ લગભગમાં જિનાલય બંધાયાની નોંધ હતી. વહીવટ પાનાચંદ મૂળચંદ સીનોર હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૫૪માં કંકુબહેન તથા ઘેલાભાઈ લાલભાઈએ આ જિનાલયની પ્રતિષ્ઠા કરી હોવાની નોંધ સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલય વિશે મળે છે. મૂળનાયક પ્રતિમા પર “સં. ૧૮૪૯ મહા વદ ૫” – મુજબનો લેખ હોવાની નોંધ હતી. વહીવટ આગમોદ્ધારક સંસ્થા, જૂની અદાલત હસ્તક હતો.
સં. ૨૦૫૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં પ્રતિષ્ઠા સં. ૧૮૯૪ મહા વદ પના રોજ થયાની નોંધ છે.
રૂબરૂ મુલાકાત દરમ્યાન પ્રતિમા પરનો લેખ ખૂબ જ કાળજીપૂર્વક અને ચોકસાઈથી વાંચવામાં આવ્યો છે અને મૂળનાયક પ્રતિમા પર “સં. ૧૮૩૦ મા સુ ૫ શ્રી વિજયઉદયસૂરિભિઃ પ્રતિષ્ઠિત – મુજબનું લખાણ સ્પષ્ટ વંચાય છે.
આજે કુલ ચૌદ આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી આગમમંદિર પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી શાંતિભાઈ ઝવેરી તથા શ્રી પ્રવીણચંદ્ર આર. ઝવેરી હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૯૫૪-૫૫ આસપાસનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org