SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો માળી ફળિયા, ગોપીપુરા ૧૨. આદેશ્વર (કાંકરિયાનું) (સં. ૧૫૪-૫૫ આસપાસ) ગોપીપુરાના માળી ફળિયા વિસ્તારમાં શાંતિનાથના જિનાલયની બાજુમાં આદેશ્વરનાં બે જિનાલયો એક જ કંપાઉંડમાં આવેલાં છે. સફેદ તથા લાલ રંગકામવાળું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય કાંકરિયાનું જિનાલય તરીકે પ્રચલિત છે. બારડોલી પાસે કરચેલીયા ગામ પાસે આવેલ કાંકરીયા ગામમાં જૈનોની વસ્તી નહિવત થતાં – ગામનાં જૈન કુટુંબો રોજી-રોટી માટે અન્ય શહેરોમાં સ્થાયી થતાં ત્યાંના શ્રી આદેશ્વરની પ્રતિમા અત્રે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. રંગમંડપ નાનો છે. કુલ આઠ ગોખમાં આઠ આરસપ્રતિમા છે. ગોખની દીવાલે નિર્વાણકલ્યાણક, શત્રુંજય, સિદ્ધાચલ, ચ્યવનકલ્યાણક, ચામર વીંઝતા ઇન્દ્રો વગેરેનું ચિત્રકામ થયેલું છે. રંગમંડપના પ્રવેશદ્વારની સન્મુખ, મૂળનાયકની ડાબી બાજુના દ્વારે ઘુમ્મટયુક્ત દેરીમાં રાયણ પગલાં છે જે સં. ૨૦૪૨ના ફાગણ વદ ૧૦ ગુરુવારે તા. ૪-૪-૮૬ના રોજ શ્રી મોહનલાલ કસ્તુરચંદ પરિવારના હસ્તે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. તેના પર નીચે મુજબનો લેખ છે : “શ્રી વિ. સં. ૨૦૪૧ માઘ કૃષ્ણ ૧૩ રવી શ્રી સિદ્ધગિરી તલપટ્ટિકાયાં જંબુદ્વીપ ચૈત્યોત્સયે શ્રી આદિનાથ ચરણપાદુકા ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારકાચાર્ય શ્રીમદાનન્દસાગરસૂરીશ્વરઃ સંસ્થાપિતાગમોદ્ધારક સંસ્થા કારિતા પ્રતિષ્ઠિતાંય તપા. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂર્યાદિ ગભારો નાનો છે. ૧૯” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પર “સં. ૧૮૩૦ મા. સુ. ૫ .... શ્રી વિજયઉદયસૂરિભિઃ પ્રતિષ્ઠિત’ – તે મુજબનું લખાણ છે. કુલ છ આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા છે. ગભારાની દીવાલે દીક્ષા કલ્યાણક, જન્મ કલ્યાણક તથા કેવલ કલ્યાણકનું ચિત્રકામ છે. સુરતમાં થયેલ ૪૦૦ સિદ્ધિતપની યાદમાં જિનાલયમાં મૂળનાયકની સામે જ એક દેવકુલિકામાં શ્રી પુંડરીકસ્વામીની આરસપ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. પ્રતિમાના પબાસનની નીચેની દીવાલે લેખ છે : મોહનલાલ કસ્તુરચંદ ઝવેરી, શ્રી પુંડરીકસ્વામીનું દેરાસર શાસનસમ્રાટ પૂ. આ. શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તુર સૂરિ ના પટ્ટ આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ તથા શ્રી વિજયઅશોકચંદ્ર સૂરિના સદુપદેશથી સ્વ. પદ્માવતીબહેન (ભીખુબહેન) મોહનલાલ તથા સ્વ. હરેશકુમારની પુણ્ય સ્મૃતિમાં અને અ. સૌ પરિવાર રજનીકાંતભાઈ, નીલેશ, વીના આદિએ આ જિનાલયમાં શ્રી આદીશ્વર ભગવંતના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીની પ્રતિષ્ઠા સં૨૦૪૨ ફા. વ૧૦ શુક્રવાર તા. ૪-૪-૮૬ના દિવસે શુભ મુહૂર્ત કરી છે.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy