________________
સુરતનાં જિનાલયો
૫૨ ૧
–
ઉત્તમવિજયના શિષ્ય રત્નવિજયે ચોવીશી(૨૪ જિન સ્તવન)ની રચના કરી.
૧૮૧૪ આસપાસ ૧૮૧૫
૧૮૧૬
૧૮૧૭
૧૮૧૮
૧૮૧૯
૧૮૨૧
– ૧, વૈશાખ સુદ ૭ રવિવારે સૂર્યમંડણ પાર્થ પ્રસાદે ભ૦ વિજયપ્રભસૂરિની પરંપરામાં
શિમાનવિજયે સ્વ શિષ્ય કસ્તુરવિજયગણિ વાચનાર્થે કાંતિવિજયકૃત “મહાબલ
મહાસુંદરી રાસ'ની ૮૮ પત્રની પ્રત વૈ. સુ૭ રવિવારે લખી. ૨. ઋષિ વાઘજીએ ‘નવતત્ત્વાનિ'ની હસ્તપ્રત લખી.
ખ, જિનવિજયસૂરિ શિ. ગુલાબચંદ શિ. ભીમરાજે “શત્રુંજય ઉદ્ધાર રાસની
રચના કરી. – શ્રી સૌભાગ્યવિજયકૃત ‘તીર્થમાલા સ્તવન (ર. સં૧૭૫૦)ની ૧૧ પત્રની પ્રત
વૈ. વ. ૧ બુધવારે શ્રી અમૃતવિજયે સૂર્યમંડન પાર્શ્વ પ્રસાદે લખી. – ઉપાડ વિનયવિજય અને યશોવિજયે મળીને પૂર્ણ કરેલા ‘શ્રીપાલરાસ'ની પ૬
પત્રની પ્રત આસો વદ પને દિને ભીમજીએ લખી. વાચક જયચંદગણિએ અષાઢ વદ ૧૩ રવિવારે જયરંગ-જેતસીકૃત ‘કયવન્ના
રાસ'ની ૨૩ પત્રની પ્રત લખી. – ૧. સંઘવી કચરા કીકાના પુત્ર સં. તારાચંદનો સંઘ માગશર વદ ૫ના દિવસે સુરતથી
નીકળી વિવિધ જૈન તીર્થો અને મોટાં નગરોની યાત્રા કરી હતી. ૨. શાહ પ્રેમચંદ સખી પઠનાર્થે દેવચંદજીકૃત ચોવીશીની ૧૫ પત્રની હસ્તપ્રત
માગશર સુદ ૩ સોમવારે લખાઈ. – ૧. શ્રી વિજયપ્રભસૂરિ પરંપરાના શિ૦ તત્ત્વવિજયગણિજીએ શ્રી વિનયવિજયજીકૃત
‘શ્રીપાલરાસ (૨૦ સં. ૧૭૩૮) જેઠ સુદ ૮ ને શુક્રવારે રાંનેર બંદરે લખ્યો. ૨. અં. શ્રી ઉદયસાગરસૂરિએ તેમના શિષ્યને આચાર્યપદ આપી કીર્તિસાગરસૂરિ
નામ સ્થાપ્યું. આ વખતે શા. ખુશાલચંદ તથા ભુખણદાસે છ હજાર ખર્ચી મહોત્સવ કર્યો. શ્રી ઉદયસાગરસૂરિ શિષ્ય દર્શનસાગરે વડાચૌટાના ભાઈશાજીના ઉપાશ્રયમાં રહીને “આદિનાથ રાસ રચ્યો. પાર્જચંદ્રસૂરિ ગચ્છના મુનિએ કા. વ૧૦ શનિવારે હરિપુરા મધ્યે સંભવનાથના
જિનાલયમાં શ્રી હેમરાજ પઠનાર્થે સકલચંદ્રકૃત સત્તરભેદી પૂજાની પ્રત લખી. – ૧. તારાચંદ શેઠે સુરતનો સંઘ લઈ રાજનગર થઈ શત્રુંજયની યાત્રા કરી – આ વાત
ક્ષેમવર્ધનના સં. ૧૮૭૦માં રચાયેલા શાંતિદાસ વખતચંદ શેઠના રાસની ઢાલ
૩૮માં મળે છે. ૨. શ્રી ઉદયસાગરસૂરિ આસો સુદ ૨ દિને ૬૩ વર્ષની વયે સમાધિપૂર્વક સ્વર્ગસ્થ
૧૮૨૩
૧૮૨૪
૧૮૨૫
૧૮૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org