________________
૫૨૦
૧૮૦૫
થી ૧૮૧૦
૧૮૦૬
૧૮૦૭
૧૮૦૯
૧૮૧૦
૧૮૧૧
૧૮૧૩
૧૮૧૪
Jain Education International
સુરતનાં જિનાલયો (ડુમસ)થી નીકળી ભાવનગર દરિયાઈ માર્ગે આવે છે. કા સુ૰ ૧૩ને દિને સંઘ નીકળ્યો, માગશર સુદ ૧૩ દિને શત્રુંજયની જાત્રા કરી.
શ્રી ઉત્તમવિજયજી સાથે પદ્મવિજયજી સુરત આવ્યા હતા. સુવિધિવિજય પાસે શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, મદાલસા આદિ નાટક, છંદશાસ્ત્ર, અલંકારનો અભ્યાસ કર્યો. તારાચંદ સંઘવીએ તેમના માટે પંડિત રાખી ન્યાયશાસ્ત્ર ભણાવ્યું. ઉત્તમવિજયજીએ ગુરુ પાસે જૈનન્યાય, મહાત્માત્ય, અંગઉપાંગ, મૂલસૂત્ર, પાંચ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ આદિનો અભ્યાસ કર્યો.
શ્રી વિજયઋદ્ધિ સ્વર્ગવાસી થયા.
—
શ્રીમદ્ યશોવિજયકૃત ૧૨૫ ગાથાના સીમંધરસ્તવનની ૧૦ પત્રની પ્રતિ પં વિનીતવિજયે શ્રાવિકા લહેરીબાઈ પઠનાર્થે વૈ શુ૰ ૩ બુધવારે લખી.
ખ શ્રી જિનહર્ષ શિ જસરાજકૃત અજિતસેન કનકાવતી રાસ (૨ સં ૧૭૫૧) જેઠ વદ ૪ને ગુરુવારે રાંનેર ગામે પં. ભીમવિજયગણિના શિ હંસવિજય વાચનાર્થે લખ્યો.
પં. અમરવિજયગણિ શિ. પં. સૌભાગ્યવિજયગણિ શિ મુનિ હિતવિજયે શ્રી જિનવિજયકૃત ધના શાલિભદ્રરાસની પ્રત ૧૪૨ પત્રમાં લખી.
શ્રી કલ્યાણસાગરસૂરિ જેઠ વદ ૨ને દિને ૬૭ વર્ષની વયે કાળધર્મ પામ્યા. — ૧. ભ રાજવિમલસોમસૂરિ ચેલા વણા૨સીના પઠનાર્થે સુરત બંદરે શાંતિનાથ પ્રસાદે અજ્ઞાત કવિકૃત કલ્પસૂત્ર બાલા (ગદ્યકૃતિ) જેઠ વદ સાતમને બુધવારે લખાઈ.
૨. ગોપીપુરા મધ્યે શ્રી પાર્શ્વનાથ પ્રાસાદે કનકકુશલે સં૰ ૧૬૫૫માં સંસ્કૃતમાં રચેલી ‘સૌભાગ્યપંચમી કથા'ની પ્રતિ ૯૭ પત્રની મા વ૰ ૨ને દિને લખાઈ. ૩. શ્રી પદ્મવિજયજીએ ચોમાસુ કર્યું.
૪. પૂજ્યાચાર્ય શિવજી શિ ૰ સૂર્યમલ્લ શિ ઋ રાજધર શિ ઋ વાઘજીએ તરણીપુર બંદરે (સુરતમાં) શ્રી દેવચંદ્રગણિકૃત આગમસાર (૨૦ સં ૧૭૭૬) પોષ સુદ ૪ સોમવારે લખ્યો.
૧. શ્રી પદ્મવિજયે ‘સિદ્ધદંડિકા સ્તવન’ની રચના કરી.
૨. શ્રી પદ્મવિજયે ચોમાસુ કર્યું.
૩. પં. ભક્તિલાભગણિ શિ મુ૰ ભવાનસુંદર તત્ક્ષાતર સુમતસુંદર મુનિ રૂપવર્ધનજી જયલાભજી પુન્યવર્ધનજી ચિર જાદવજીએ ચરં પ્રાગજીના પઠનાર્થે દામોદર મુનિ શિ૰ દયાસાગરકૃત ‘સુરપતિકુમા૨ ચોપાઈ’ની માગશર વદ ૧૪ રવિવારે નાની ચોપડી લખી.
For Personal & Private Use Only
www.jainelibrary.org