SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ સુરતનાં જિનાલયો સં. ૧૭૪૬માં શીલવિજયકૃત તીર્થમાલામાં કવિએ આદેશ્વરના ગુણ ગાયા છે : નવસારી સૂરતિમંડાણ ચિંતામણિ સોહિ જિનભાણ, ઉંબરવાડી જીરાઉલો આદિનાથ ગાઉ ગુણનિલો ૧૧૧ સં ૧૭૫૫માં જ્ઞાનવિમલસૂરિકૃતિ તીર્થમાળામાં સુરતનાં અન્ય જિનાલયો સાથે આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : ધુર થકી શહેરમાં વંદિયા, પાસ ચિંતામણી વારૂ ધર્મ જિનેસર નમિ જિન, કુંથુ જિનેસર તારૂ ઋષભ જિનેસર શાંતિજી, શાંતિ કરણ જગનાથ ઇત્યાદિક બહુ જિનવર, પ્રણમી શિવપુર સાથ. સં. ૧૭૯૩માં કટુકમતીય લાધાશાહકૃત સૂરત ચેત્યપરિપાટીમાં ગોપીપુરામાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિમાં મળે છે : સુરતનગર સોહામણું, સોહામણા જિનપ્રાસાદો રે; ગોપીપુરામાહે નિરવંતા ઉપનો અધિક આલ્હાદો રે. ૧ શ્રીજિનબિંબ જોહારીયે, ધારીયે જિનમુખચંદો રે; તારીયે આતમ આપણો વારીયે ભવદુખફંદો રે. શ્રી જિન ૨ પ્રથમ નમું આદિનાથને દેહરે ચૈત્ય ઉદારો રે; બિંબ ચૌદ આરસમેં ધાતુમય ચિત ધારો રે. શ્રી જિન ૩ એકલમલ પંચતીરથી પાટલી ને પટ જાણું રે; . સર્વ થઈ શતદોયને બોહોત્તર અધિક વષાણું રે. શ્રી જિન૪ સં. ૧૮૨૮માં ઉત્તમવિજય નિર્વાણરાસમાં ઉત્તમવિજયએ સુરતનાં અન્ય જિનાલયોની સાથે આદેશ્વરના જિનાલયના દર્શન કર્યાની નોંધ છે : સુરતમંડણ ધર્મ સંભવ શાંતિ જિના, રૂષભ વીર તિમ અજીત નમ્યા થઈ એકમના સં. ૧૮૪૩માં ઋષભસાગરજીકૃત પ્રેમચંદસંઘ વર્ણનરાસમાં કવિ સુરતનાં અન્ય જિનાલયો સાથે આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં કરે છે : ઇમ આડંબર આવીયા, સૂરતમંડણ હે ભેટ્યા શ્રી પાસ કે; ધર્મનાથ પ્રભુ ધ્યાવતાં, ગોઠીયો હે પૂર્વે આસ કે. વા૧૨ સાહિબ શ્રી શંખેશ્વરો, સૂરીશ્વર હે ભેટ્યા સહુ સાથ કે; આદી તખત વિરાજતા, ગુરુ ગિરુઓ હે મુનીવરનો નાથ કે. વા. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy