________________
૩૮
સુરતનાં જિનાલયો ગોખમાં ત્રણ-ત્રણ આરસપ્રતિમા છે. ડાબી બાજુ બે ગોખમાં ચક્રેશ્વરીદેવી, કેસરિયાજીદાદા તથા અન્ય બે ગોખમાં ત્રણ-ત્રણ આરસપ્રતિમા છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પર “સં. ૧૬૮૩ વર્ષે ફાગુણ વદિ ૫ શ્રી આદિનાથ બિંબ સ્વશ્રેયસે કારિત પ્રતિષ્ઠિતમ્ ..... શ્રી વિજયસેનસૂરિભિઃ' ગભારામાં કુલ પચીસ આરસપ્રતિમા છે તથા ચોસઠ ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખી છે. ડાબે ગભારે શ્રી અજિતનાથ છે. જમણે ગભારે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે :
‘સં. ૧૭૮૨ વર્ષે આષાઢ સુદિ ......... શવંશ જ્ઞાતીય પ્રા. સુંદરદાસ પુત્ર સમાચંદ ભાર્યા નાગબાઈ પુત્ર ગુલાલચંદ ભાર્યા ....... કલ્યાણચંદ ..... હાલચંદ ..... સા. તિલકચંદ ... પ્રમુખ કુટુંબ સહિતેન શ્રી ચંદ્રપ્રભુ બિંબ કારિત'
ઉપરના માળે-અગાશીમાં ગભારામાં ૧૭” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની ધાતુપ્રતિમા છે. પ્રતિમાલેખ નથી. કુલ ચૌદ આરસપ્રતિમા તથા એકસો બાસઠ ધાતુપ્રતિમા છે. આરસનાં પગલાની ચાર જોડ છે જે પૈકી હસ્તિવિજયગણિની પાદુકા પર સં. ૧૭૮૬નો લેખ, આદેશ્વરની પાદુકા પર સં. ૧૭૮૦નો લેખ તથા એક પાદુકા પર સં. ૧૭૭૬નો લેખ છે. અન્ય પાદુકા પરનો લેખ સુવાચ્ય નથી.
આ ગભારાની બહાર આજુબાજુ શિખરયુક્ત બે દેરીઓ છે જે પૈકી જમણી બાજુની દેરીમાં શ્રી વિજયરાજસૂરીશ્વરની પાદુકા પર સં૧૭૫૮નો લેખ છે તથા ડાબી બાજુની દેરીમાંની પાદુકા પર “સં. ૧૮૬૦ ....... વિજયલક્ષ્મીસૂરિ .........' વાંચી શકાય છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૮૯માં ઉપાય શ્રી વિનયવિજયકૃત સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમવાર મળે છે જે નીચે મુજબ છે : પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થંકરૂ એ,
ત્રિભુવન ત્રિભુવન દીપક દેવ તો; સેવ કરૂં મન રંગસું એ,
સૂરતિ સૂરતિપુર સિણગાર કે; પૂજીએ પ્રથમ તીર્થંકરૂ એ.
પૂજીએ પહિલું પ્રથમ જિનવર ભુવન દિનકર જગિ જયો, જિન રૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો; સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જગ સાષી થયો, રસરંગ ચાપી દુરતિ નાષી અષયસુષ સંગમ લયો.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org