SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૭ સુરતનાં જિનાલયો હોવાની નોંધ છે. વહીવટ કેસરીચંદ તલકચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં માળી ફળિયામાં શાંતિનાથના જિનાલય સાથે ઉપરના માળે શેઠ ફૂલચંદ કલ્યાણચંદનું જિનાલય આવેલું હોવાની નોંધ છે. વહીવટ શેઠ ગુલાબચંદ બાલુભાઈ હસ્તક હતો જેઓ મોટીપોળ, ગોપીપુરામાં રહેતા હતા. જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૨૩માં થયો હોવાનો ઉલ્લેખ છે. સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં શાંતિનાથના આ જિનાલયની છેલ્લી પ્રતિષ્ઠા સં. ૧૯૨૩માં થઈ હોવાની તથા સાગરગચ્છના જિનાલય તરીકે ઓળખાતું હોવાની નોંધ છે. આજે જિનાલયમાં કુલ ચોપન આરસપ્રતિમા તથા એકસો આડત્રીશ ધાતુપ્રતિમા છે. જિનાલયનો વહીવટ શ્રી ગોપીપુરા જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી કસ્તુરચંદ તારાચંદ ઝવેરી, શ્રી સુરેશભાઈ બાલુભાઈ ઝવેરી તથા શ્રી રમેશભાઈ પાનાચંદ ઝવેરી હસ્તક છે. ટૂંકમાં શાંતિનાથનું જિનાલય સં૧૬૮૯ પૂર્વેનું છે તથા ઉપરના માળે આદેશ્વરનું જિનાલય સં. ૧૯૬૩ પૂર્વેના સમયનું છે. માળી ફળિયા, ગોપીપુરા ૧૧. આદેશ્વર (સં. ૧૬૮૩) ગોપીપુરા મળે માળી ફળિયામાં શ્રી શાંતિનાથના પ્રાચીન જિનાલયની બાજુમાં શ્રી આદેશ્વરનું બે માળનું શિખરબંધી જિનાલય આવેલું છે. ઉપરના માળે મૂળનાયક શાંતિનાથ છે. આ જિનાલયની બાજુમાં જ શ્રી કાંકરિયાનું આદેશ્વરનું જિનાલય આવેલું છે. આદેશ્વરના બન્ને જિનાલયો એક ચોકમાં – કંપાઉંડમાં છે. જિનાલયમાં પ્રવેશવાના મુખ્ય બે દ્વાર પૈકી એક માળી ફળિયામાં પડે છે. જ્યારે બીજો કાયસ્થ મહોલ્લામાં પડે છે. તેની સાદા પથ્થરની કોતરણીયુક્ત કમાન પર મધ્યે લક્ષ્મીદેવી અને આજુબાજુ વાજિંત્ર વગાડતી શિલ્પાકૃતિઓ તથા સ્થંભો પર ફૂલછાબ લઈ ઊભેલી સ્ત્રી શિલ્પાકૃતિઓ ભક્તોનો સત્કાર કરતી, જિનશાસનનો જયજયકાર કરાવતી હોય તેવું લાગે છે. શૃંગારચોકીની ફરસ વિવિધ રંગના આરસના સંયોજન દ્વારા શોભે છે. તેનાં અંભો, કમાનો તથા સ્થંભો પર વાજિંત્ર વગાડતી પરીઓનાં શિલ્પો પરનું આછા રંગોથી કરેલું રંગકામ ધ્યાન ખેંચે છે. ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપ મોટો છે. સ્થંભો પર ફૂલ-બુટ્ટાની કારીગરીવાળી વિવિધરંગી ભાત ઉપસાવેલી છે. ઘુમ્મટમાં વાજિંત્ર વગાડતી તથા વિવિધ મુદ્રાવાળી શિલ્પાકૃતિઓ કંડારેલી છે. પ્રવેશદ્વાર પાસે જમણી બાજુથી ઉપર – શાંતિનાથના જિનાલયમાં જવા માટેનાં પગથિયાં છે. રંગમંડપમાં જમણી બાજુ બે ગોખમાં ગૌમુખયક્ષ, નવપદજીનો આરસનો પટ તથા અન્ય બે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy