SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સુરતનાં જિનાલયો (જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૨, પૃ. ૧૯૪, ભાગ-૫, પૃ. ૪૪૪ તથા પૃ. ૧૫૫)) જૈન ગૂર્જર કવિઓમાં જે શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ છે તે આ જિનાલયના સંદર્ભમાં થયો હોય ! સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માળી ફળિયામાં કુલ ચાર જિનાલયોશાંતિનાથના જિનાલય ઉપરાંત આદેશ્વરનાં ત્રણ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે પૈકી શાંતિનાથ તથા આદેશ્વરનાં અલગ અલગ જિનાલયો ધાબાબંધી દર્શાવ્યાં છે. શાંતિનાથના જિનાલયમાં કુલ છત્રીસ આરસપ્રતિમા, બાસઠ ધાતુપ્રતિમા તથા ચાર રત્નપ્રતિમા હતી તથા આદેશ્વરના જિનાલયમાં બાર આરસપ્રતિમા અને સાત ધાતુપ્રતિમા હતી. આ બંને જિનાલયોની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં માળી ફળિયામાં શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ છે. - સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં માળી ફળિયામાં આદેશ્વરનાં બે જિનાલયોની સાથે શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ છે. એટલે કે શાંતિનાથના જિનાલયમાં ઉપરના માળે આવેલા આદેશ્વરના જિનાલયનો સં. ૧૯૬૮માં તથા સં. ૧૯૮૪માં અલગ જિનાલય તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં માળી ફળિયાના શાંતિનાથના આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૨૩માં થઈ હોવાની તથા વહીવટ શેઠ હીરાચંદ ખુબચંદ અને શેઠ ઉત્તમચંદ માનચંદ હસ્તક હોવાની નોંધ છે. પહેલે માળે ફૂલચંદ કલ્યાણચંદનું જિનાલય હોવાની વિશેષ નોંધ છે. ઉપરાંત જિનાલયમાં આચાર્યની ગુરુમૂર્તિ પર તથા બે પાદુકા પર લેખ હોવાનો ઉલ્લેખ છે. આ લેખ નીચે મુજબ છે : આચાર્યની પ્રતિમાનો લેખ – “૧૮૩૦ વર્ષે સિદ્ધસેનસૂરિ મૂર્તિ કારિત.” પાદુકાનો લેખ – (૧) સંવત ૧૯૨૪ મહા સુદી ૫ ગુરુવારે શ્રીમદ તપાગચ્છ ચંદ્રશાખા કંબલચંદ્રજી પાદુકાને બાઈ જીવકોર સ્થાપિત. (૨) સંવત ૧૭૨૨ વર્ષે પોશ શુદ ૧૩ સોમ શ્રી સૂર્યપુરવાસી વૃદ્ધ શાખીય શ્રી પ્રજ્ઞાજ્ઞાતીય શ્રી સાગરસૂરિ ભટ્ટારક પ્રતિષ્ઠા કરનાર. વિજયસેનસૂરિ પાદુકા. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં ઉપર્યુક્ત શેઠ ફૂલચંદ કલ્યાણચંદના ઘરદેરાસરમાં કુલ બાર આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા વિદ્યમાન હોવાની નોંધ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં માળી ફળિયામાં કુલ ત્રણ જિનાલયો પૈકી આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ ચોપન આરસપ્રતિમાં, એકસો એંશી ધાતુપ્રતિમા, આરસની એક ગુરુમૂર્તિ તથા બે રજત ચોવીસીપટ હતા. જિનાલય સં૧૯૦૦ લગભગમાં બંધાયું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy