________________
સુરતનાં જિનાલયો
૩૫
એકલમલ પટ પાટલી એકતાલીસ બિરાજે રે;
ત્યાસી બિંબ સર્વે થઈ જિનમંદીરમાંણે છાજે રે. શ્રી જિન. ૬ સં. ૧૮૧૩માં જેઠ વદ ૭ને બુધવારે શ્રી રાજવિમલસોમસૂરિના ચેલાએ અજ્ઞાત કવિકૃત કલ્પસૂત્ર બાલાવબોધની ગદ્યકૃતિ સુરતના શાંતિનાથના જિનાલયમાં લખી હોવાની નોંધ જૈન ગૂર્જરકવિઓમાં થયેલી છે.
સં. ૧૮૨૮માં ઉત્તમવિજય નિર્વાણરાસમાં શ્રી ઉત્તમવિજયજી સુરતનાં અન્ય જિનાલયો સાથે શાંતિનાથને પણ નમન કરે છે :
ગુરૂજી વિચરતા જાય સુરતને પરિસરે, .................................... સુરતમંડણ ધર્મ સંભવ શાંતિ જિના,
રૂષભ વીર તિમ અજીત નમ્યા થઈ એકમના સં. ૧૮૪૧ના પ્રથમ ચૈત્ર વદ ચોથને બુધવારે મુ. બુદ્ધિરને ઉપા. સમયસુંદરકૃત સીતારામ પ્રબંધ સુરતમાં શાંતિનાથના ચરણે લખ્યો હોવાની નોંધ જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૨) પૃ. ૩૪૮માં કરવામાં આવી છે.
સં. ૧૮૬૧ના જેઠ સુદ ૧ને બુધવારે સુરત શ્રી મકવાણા રાજયે શાંતિનાથના જિનાલયમાં ભ, કીર્તિરત્નસૂરિના શિષ્ય પં. બુદ્ધિરત્નના શિષ્ય કાંતિરને ઉપાડ વિનયવિજયકૃત શ્રીપાલરાસ લખ્યો હોવાની નોંધ જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૪) પૃ. ૨૫માં કરવામાં આવી છે.
સં. ૧૮૭૨ના ફાગણ સુદ આઠમે મુનિ રૂપરને સુરતના શાંતિનાથના જિનાલયમાં અજ્ઞાત કવિકૃત કલ્પસૂત્ર બાલાવબોધ લખ્યો હોવાની નોંધ જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૬) પૃ. ૩૪૦માં કરવામાં આવી છે.
સં. ૧૮૭૭માં દિપવિજયકૃત સુરત કી ગઝલમાં આદેશ્વરના જિનાલય સાથે શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
સાંતીનાથ કા દેહરાક, માનું સિવપુરી સે રાક,
આદીનાથ જિનવર વીર, તારે ભવાં સાગર તીર. ૬૫ સં. ૧૮૯૦માં સુરતના શાંતિનાથના જિનાલયમાં જેઠ સુદ ૧૧ને સોમવારે મુનિ તેજરને ઉદયરત્ન કૃત યશોધર રાસ અને અષ્ટપ્રકારી પૂજારાસ ચૈત્ર સુદ ૧ને ગુરુવારે લખ્યાની નોંધ જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૫)ના પૃ. ૮૨ તથા પૃ. ૯૬માં કરવામાં આવી છે.
સં ૧૮૯૩માં તેઓએ ઉપર્યુક્ત જિનાલયમાં બીજી અષાઢ વદ અમાસને શુક્રવારે વચ્છરાજકૃત સમ્યક્ત કૌમુદીરાસ અને પોષ સુદ ૧ને રવિવારે જિનવિજયકૃત જયવિજયકુંવર પ્રબંધ તથા સં. ૧૯૧૨માં ફાગણ વદ બીજને રવિવારે મોહનવિજયકૃત ચંદરાજાનો રાસ લખ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org